Mysamachar.in-જામનગર:
હાલમાં કોરોના વાયરસના લઈને હાહાકાર મચી ગયો છે, પરંતુ આ વાયરસથી ગભરાઈ જવાને બદલે સાવચેતી રાખવામાં આવે તો તેની અસરોથી બચી શકાય છે, ત્યારે રાજ્ય સરકાર પણ કોરોના વાયરસને લઈને હરકતમાં આવ્યું છે, અને કોરોના વાયરસ છે કે કેમ..? તેના ટેસ્ટીંગ માટે દેશભરમાં 19 લેબોરેટરીનો સરકારે સમાવેશ કર્યો છે. જેમાં ગુજરાતમાં બે છે તેમાં જામનગરને પણ એક મળી છે એટલે કે કોરોના છે કે નહીં? તેની તપાસ તાત્કાલિક જામનગરમાં જ થઇ જશે. ગુજરાતમાં અમદાવાદ બાદ જામનગરનો સમાવેશ થાય છે. એટલે કે, સૌરાષ્ટ્રની એક માત્ર વાયરસ ટેસ્ટીંગ લેબોરેટરી બની જશે. કોરોના છે કે નહીં ? તેનું ટેસ્ટીંગ જામનગર જી. જી. હોસ્પિટલના અદ્યતન લેબોરેટરીમાં થશે તેમ આસિસ્ટન્ટ ડીન એસ.એસ. ચેટરજીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્વાઇનફલુનું ટેસ્ટીંગ પણ જામનગરમાં જ થાય છે.
જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં તંત્ર દ્વારા કોરોના વાયરસ સામે લડવા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી આ માટે ટ્રેઇન્ડ સ્ટાફ અને 28 બેડનો સુવિધાયુક્ત વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે. દેશભરમાં કોરોના વાયરસનો ભય ફેલાયો છે ત્યારે જામનગર જી. જી. હોસ્પિટલ તંત્ર દ્વારા આ વાયરસ સામે લડવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. કોરોના માટે સ્પેશિયલ 28 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. મેડિકલ અને પેડીયાટ્રીક વિભાગના સ્ટાફને ટ્રેનિંગ આપી દેવાઇ છે અને જરૂર પડ્યે વધુ 30 બેડની વધુ સારવાર લઇ શકે તેવી તૈયારી રખાઇ છે. આ માટે નોડલ ઓફિસર તરીકે ડો. એસ.એસ. ચેટરજી ની નિમણુક કરાઈ છે,આમ જામનગરનું હોસ્પિટલ તંત્ર કોરોના વાયરસ માટે સંપૂર્ણ સજ્જ બન્યું છે.