Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે જ રાજ્યના પોલીસવડાએ પોલીસકર્મીઓને સંવેદનશીલ બનીને પોતાની ફરજ બજાવવા ટકોર કરી હતી, ત્યાં જ આજે બપોરે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પી.આઈ.વી આર ચૌધરીને શુરાતન ચઢતા તેણે ગરીબ રેકડીવાળાઓ જે શાકભાજી વેચાણ કરતા હતા તેની રેકડીઓ ઉંધી વાલી દેવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા બાદ આજે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા એ પત્રકાર પરિષદ સંબોધતી સમયે પોલીસને તો સંવેદનશીલ બનીને ફરજ નિભાવવાની છે, સાથે સાથે લોકોએ પણ થોડું સંવેદનશીલ બનીને લોકડાઉનનો અમલ કરવો પડશે તેમ જણાવ્યું,
વધુમાં ઝા આજની અમદાવાદની ઘટના થી ખુબ નારાજ થયા હોવાનું તેમની વાતચીત પરથી જણાઈ આવતું હતું, તેવોએ કહ્યું કે આજની ઘટના એકદમ કમનસીબ છે, અને આ વ્યવહાર કોઈપણ રીતે ચલાવી લેવાય નહી, સામે માણસ કોઈપણ હોય…અને ખાખી પહેર્યા પછી તો આ વ્યવહાર ક્યારેય શોભી શકે તેમ નથી, અને ખાખી પહેરી લીધી એટલે ગમે ત્યાં દંડો ચલાવાય તેવું નથી, વધુમાં ઝાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ગરીબો સાથે તો ખાસ સંવેદના હોવી જોઈએ, અને જો પોલીસનો વ્યવહાર સારો હશે તો જ ઈજ્જત મળશે તેવી ટકોર આજે વધુ એક વખત રાજ્યના પોલીસવડાએ કરી છે, ત્યારે રાજ્યના પોલીસકર્મીઓ અને અધિકારીઓ આ સુચનાનું કેટલું પાલન કરે છે તે જોવાનું છે.