Mysamachar.in-જામનગર:
જામનગર શહેરને પાણી પૂરું પાડતી માળિયાથી આવતી નર્મદા પાઇપ લાઇન (NC/૭) માં તા.૧૭ જૂનના રોજ સનાળા ગામે ભંગાણ થયેલ હોય,જેનું પાઇપ લાઇનનું લીકેજ રિપેરિંગની કામગીરી ચાલુ હોય,આ લાઇનને પૂર્વવત સ્થિતિમાં ચાલુ કરતાં સમય લાગે તેમ હોય જામનગર શહેરને પાણીનો પૂરતો જથ્થો ન મળવાને કારણે જામનગર શહેરના (૧)પમ્પ હાઉસ E.S.R.-A ઝોન હેઠળના વિસ્તારો જેવા કે નીલકંઠ નગર,હર્ષદમિલની ચાલી, નાનાક્પુરી, ગણેશવાસ, ચૂનાનો ભઠો વિગેરે લગત વિસ્તાર તથા (૨)રણજીતનગર ઝોન-A હેઠળના વિસ્તારો જેવા કે પંચવટી ગૌશાળા,સરૂશેકસન,પારસ સોસાયટી,રાજનગર,અંબાવિજય,કામદાર કોલોની વિગેરે લગત વિસ્તાર,મકવાણા સોસાયટીમા આવતીકાલના રોજ પાણી વિતરણ બંધ રહેશે.આમ મનપાએ સતત બીજા દિવસે પાણી કાપની અખબારી યાદી જાહેર કરીને પોતા પાસે કોઈ આગોતરું આયોજન ના હોવાનો પુરાવો આપ્યો છે.