Mysamachar.in-જામનગર
જોડિયા તાલુકા પંચાયતનું મંજુર થયેલ મહેકમ પૈકીનું મોટા ભાગનું મહેકમ ખાલીખમ પડેલ છે. જેમાં ખાલી જગ્યાની સંખ્યા 16 જયારે ભરેલ જગ્યાની સંખ્યા 8છે, એટલે કે ભરેલ જ્ગ્યા માત્ર ૩૩% જ્ગ્યા છે, મહત્વની જગ્યાઓ ટી.ડી.ઑ, એ.ટી.ડી.ઑ.તેમજ ટી.પી.ઇ.ઑ જેની જગ્યાઓ ખાલીખમ છે. આજથી નહિ પણ વર્ષોથી છેવાડાના તાલુકાના કારણે જોડીયા તાલુકાને સતત તમામ બાબતોએ અન્યાય થતો હોય તેમ સ્પષ્ટ જણાય આવે છે.
થોડા સમય પહેલા જામજોઘપૂર તાલુકામાં થી સીનીયર કર્લાક તરીકે જોડિયા તાલુકા પંચાયતમાં બદલી નો ઓર્ડર થયેલ પરંતુ કોઈ કારણોસર જોડિયા ખાતે હાજર થનાર સીનીયર ક્લાર્ક નો ઓર્ડર પણ કેન્સલ કરેલ છે. શા માટે જોડિયા તાલુકા સાથે આ ભેદભાવ રાખી અને કાયમ અન્યાય કરવામાં આવે છે, ત્યારે ખાલી જગ્યાઓ તાકીદે ભરવામાં આવે અને તાલુકાના લોકોના કામો થાય તે માટેની રજૂઆત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેને એસ.એસ.ખ્યાર દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે.