Mysamachar.in-જામનગરઃ
જામનગરમાં હમણાં હમણાં લુંટ, ચોરી અને હત્યાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, એવામાં જીલ્લાના લાલપુરના તાલુકાના ખાયડી ગામે પવનચક્કીમાં ફરજ બજાવતા સિક્યુરીટીગાર્ડ ની માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા નીપજાવવાનો મામલો સામે આવતા એલસીબી સહિતની ટીમો પણ લાલપુર ખાતે દોડી ગઈ છે, અને આ મામલે તપાસ હાથ ધરી છે,
પાર્ટ ટાઈમ સિક્યુરીટી અને પાર્ટટાઈમ જી.આર.ડી જવાન તરીકે કામ કરતા અને લાલપુરના ખાયડી ગામે વસવાટ કરતા ૪૫ વર્ષીય નારણ કરમુર ગઈકાલે ગામ નજીક આવેલ ખાનગી પવનચક્કી કંપનીના સિક્યુરીટી ગાર્ડની ફરજ દરમિયાન પવનચક્કીઓના રાઉન્ડમાં નીકળ્યા હતા ત્યારે ત્રણ જેટલા શખ્સો ત્યાં મોટરસાઈકલ લઈને આવી પહોચ્યા હતા, અને તેને મૃતક નારણભાઈ સાથે બોલાચાલી કર્યા બાદ તેના માથના ભાગે બે ઘા છરી કે અન્ય હથિયાર વડે ઝીંકી દેતા નારણભાઈ ત્યાં ઢળી પડ્યા હતા, જે બાદ ટેવોને પ્રાથમિક સારવાર અર્થે લાલપુર હોસ્પિટલ અને બાદમાં જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમીયાન તેનું મોત નીપજતા લાલપુર પોલીસે કલમ ૩૦૨ ૩૯૪ સહિતની કલમો હેઠળ ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ બી.એસ.વાળા અને સ્ટાફના ખોડુભા જાડેજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.