Mysamachar.in-જામનગર:
સમાન્ય રીતે ટ્રાફિક ડ્રાઈવ…વાહનોના કેસો પુરતી સીમિત ના રહેતા ઘણીવખત દારુનો જથ્થો, કે પછી હથિયારોની હેરાફેરી, પૈસાની હેરાફેરી, કે પછી કૌભાંડ ને પણ ઉજાગર કરતી હોય છે, વાત છે મેઘપર પડાણા પોલીસની.. પડાણા પોલીસ થોડા સમય પૂર્વે ટ્રાફિક ડ્રાઈવમા હતી, તે દરમિયાન પસાર થઇ રહેલા વાહનોના કાગળો સહિતની તપાસણી મેઘપર પીએસઆઈ ડી.એસ.વાઢેર અને તેની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી તે દરમિયાન એક ટ્રક આવ્યો અને તેને રોકી અને તેના કાગળો માંગવામાં આવતા ટ્રકચાલકે કાગળો વગેરે આપતા ફોજદાર વાઢેરને કાગળો પરના એન્જીન ચેસીસ નંબર અને વાહનના એન્જીન ચેસીસ નંબર અને ગુડ્સ પરમીટમાં દર્શાવાયેલા નંબરો અંગે શંકા જતા તેણે ટ્રકને શક્પડતી મિલકત તરીકે કબજે કરી અને તપાસના ચક્રો તેજ કરતાં મોટું ભોપાળું તપાસના અંતે સામે આવ્યું છે,
જામનગર આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે નું કામ કરતાં કાના નારણ કરંગીયા નામના શખ્સે ભાટિયાના હમીરભાઈ પાસેથી એક ટ્રક ખરીદ કરેલ હતો, જે ટ્રકના હપ્તાઓ ના ભરવા પડે તેમજ તે ટ્રકને ઉંચા મોડેલમાં ફેરફાર કરી ટ્રકની વધુ કીમત મેળવવા માટે ભુજ આરટીઓ એજન્ટનું કામ કરતાં સુખેંદ્રસિંહ ઉર્ફે બાપુ સાથે મળી જઈને ગુન્હાહિત કાવતરૂ રચી ટ્રક ના રજીસ્ટ્રેશન નંબર તેમજ એંજીન નબર અને ચેસીસ નંબર ભુજ આર.ટીઓમા ફેરફાર કરવા માટે કેરલા પાસીંગ ની ટ્રક કે જે કાગળ ઉપર આર.ટી.ઓ.મા હમીરભાઈ જુવાનભાઈ પટેલના નામે હોય જેના એન્જીન ચેસીસ નંબર બદલી આપવા માટે થઇ મળી ટ્રકના બનાવટી કાગળો ઉભા કરી જેમા રજીસ્ટ્રેશનંબર GJ-12-BV-3074 તથા એંજીન નંબર B59183241H63789470 તથા ચેસીસ નંબર 12KBRAR-10261 નો ફેરફાર કરી અને પ્રથમ હમીરભાઇ જુવાનભાઇ પટેલ રાપરવાળા કે આ નામની વ્યકિત તે ગામમા ન હોય તેના નામે ભુજ આર.ટી.ઓ મા પાસીંગ કરાવી એન.ઓ.સી.મેળવી જામનગર આર.ટીઓ.મા એજન્ટ કાના કરંગીયા એ પોતાના નામે પાસીંગ કરાવી બાદમા ટ્રકનુ પાસીંગ ભુજ આર.ટીઓ.મા ભરતભાઇ દેવશી કનારીયા રહે. મોરગા વાળા કે નામની વ્યકિત તે ગામમા રહેતી ન હોય તેના નામે પાસીંગ કરાવી તેના નામની એન.ઓ.સી.મેળવી…
અને ફરી વખત કાના કરંગીયાએએ પોતાના નામે જામનગર આર.ટી.ઓ.મા પાસીંગ કરાવી યાકુબ હુશેનભાઇ માકોડા જામનગરવાળા ને વેચાણ આપી છેતરપીંડી વિશ્વાસઘાત કરી ટ્રકના રજી.નંબર એન્જીન નંબર ચેસીસ નંબરમા ફેરફાર કરી પુરાવાનો નાશ કરી તે ટ્રકના આર.ટી.ઓ.ને લગતા બનાવટી કાગળો ઉભા કરી તેમજ બનાવટી માણસ ઉભા કરી કાગળોનો આર.ટી.ઓ.મા ખરા તરીકે ઉપયોગ કર્યાનો ચોંકાવનારો મામલો પોલીસની સતર્કતા થી તપાસના અંતે સામે આવ્યો છે, હાલ મેઘપર પોલીસે આ કેસમાં ફરિયાદી બનીને જામનગર આરટીઓ એજન્ટ કાના કરંગીયા, ભુજ આરટીઓ એજન્ટ સુખેંદ્ર્સિંહ બાપુ અને તપાસમાં સામે આવે તે આરટીઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સામે બોગસ દસ્તાવેજ બનાવવા, ગુન્હાહિત કાવતરું, સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.