Mysamachar.in-જામનગર
હાલમાં કોરોના વાયરસે ચોતરફ હાહાકાર મચાવ્યો અને લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આવા સમયે કોઇપણ ખોટી અફવાઓ કે ના ફેલાય તે માટે પોલીસ સઘન નજર સોશ્યલ મીડિયા સહિતના માધ્યમો પર રાખી રહી છે, ત્યારે જામનગર સીટી એ ડીવીઝન પોલીસે શાકમાર્કેટ નજીક વસવાટ કરતા પારસ વાળા નામનો ઇસમ તેમના મોબાઈલ નંબર પરથી હાલમાં ફાટી નીકળેલા કોરોના વાયરસના અનુસંધાને લોકોમાં ભય ફેલાય તેવા તેમજ ધાર્મિક લાગણી દુભાય તેવા વોટ્સઅપ મેસેજ જયંતિગીરી ગોસ્વામી જે ગ્રુપમાં સભ્ય છે તે ગ્રુપમાં ફોરવર્ડ કરીને એકબીજાને મદદગારી કરી હોય બંને શખ્સો સામે કલમ 505 (૨), 114 અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 54 મુજબ ગુન્હો દાખલ કરી બન્ને ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.