Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાની અપડેટ વિગતો આપતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે. જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ મૃત્યાંક 9એ પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે, કેસોની જિલ્લાવાર સંખ્યા જોઈએ તો અમદાવાદમાં સૌથી વધુ 43, ગાંધીનગર 13, સુરત 12, રાજકોટ 10, વડોદરા 9, ભાવનગર 9, પોરબંદર 3, ગીર સોમનાથ ૨,પંચમહાલ મહેસાણા કચ્છ અને પાટણ માં એક એક કેસ નોંધાયા હોવાનું સતાવાર જાહેર થયું છે.