Mysamachar.in-જામનગર:
જામનગરમાં ગઈકાલથી કેટલાક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જામનગરથી મોરકંડા તરફ જતા રસ્તા પર સનસીટી-2 સોસાયટી આવેલી છે. ગતરોજ વહેલી સવારે એક ખેડૂત આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ત્રણ લૂંટારુઓએ તેને આંતરી છરી બતાવી રોકડ, સોનાના ચેઈન અને વીંટીની લૂંટ ચલાવી હતી. ભોગ બનેલા ખેડૂત દ્વારા સતર્કતા દાખવી નજીકમાં રહેતા લોકોને જાણ કરતા લોકોએ ભાગી રહેલા બે લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક લૂંટારુ ભાગવામાં સફળ રહ્યો હતો. સ્થાનિકોએ બે લૂંટારુઓને ઝડપી વીજપોલ સાથે બાંધી મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં પોલીસને હવાલે કર્યા હતા.
પોલીસને હવાલે કરવામાં આવેલ શખ્સોની સીટી એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જર સહિતની ટીમ દ્વારા આગવીઢબે પૂછપરછ કરવામાં આવ્યા બાદ વકાસ હુશેન હનીફ શેખ, ઇમરાન હનીફ સમા અને ખલીલ ઇસ્માઇલ આ ત્રણેય સામે ફરિયાદીહિતેશ અમુભાઈ પરમારની ફરિયાદ લઇ લુંટની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.મહત્વનું છે કે આ ઘટનામાં સ્થાનિક લોકોએ બે શખ્સોને ઝડપી પડ્યા હતા જ્યારે એક લૂંટારુ ભાગી જવામાં સફળ રહેતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.