Mysamachar.in-અમદાવાદ
રક્ષક કહેવાતી પોલીસ જ્યારે આત્મહત્યાનું પગલું ભરે ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો ચર્યા છે. આવી વાત સામે આવે ત્યારે વાત ઝડપથી ગળે પણ ઊતરતી નથી. મહાનગર અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ પરના હેડ કોન્સ્ટેબલે પોતાના લમણે ગોળી મારી દીધી છે. ઉમેશ ભાટીયાએ રીવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ઉમેશ ફરજ પર હતા ત્યારે એકાઉન્ટ વિભાગમાં ખુરશી પર બેસી પોતાના પર ફાયરિંગ કર્યું હતું. લોહી નીતરતી સ્થિતિમાં એમને હોસ્પિટલ ખેસાડાયા હતા. જ્યાં ફરજ પર રહેલા તબીબોએ મૃત જાહેર કર્યા છે.
વર્ષ 2009માં ઉમેશ પોલીસ વિભાગમાં નોકરીએ લાગ્યા હતા. છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં તેઓ એકાઉન્ટ શાખામાં ડ્યૂટી પર હતા. આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા માટે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. પોતાની ડ્યૂટીના ટાઈમ અનુસાર ઉમેશકુમાર ભાટિયા ફરજ પર આવ્યા હતા. તેમણે એકાઉન્ટ ઓફિસનો દરવાજો બંધ કરીને લમણે ગોળી મારી દીધી છે. આ ઘટના સવારે 9 થી 10 વાગ્યા વચ્ચે બની હોવાનું જાણવા મળ્યું છે. એકાઉન્ટ રાઈટર હેડ પાસે હથિયાર હોય છે. ઉમેશે એનો ઉપયોગ કરી જીવન ટૂંકાવી દીધું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો આ ઘટના બાદ ઘટના સ્થળે દોડી ગયો હતો. આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. ફાયરિંગનો અવાજ સાંભળતા જ પોલીસ સ્ટેશનમાં રહેલો સ્ટાફ એકાઉન્ટ ઓફિસ બાજું દોડ્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર પોલીસ બેડમાં ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા પાછળનું કોઈ પારિવારિક કારણ છે કે, નોકરીમાં કોઈ મુશ્કેલી છે એ સ્પષ્ટ થયું નથી.