Mysamachar.in-આણંદ:
આણંદ જીલ્લામાં થોડા સમય પૂર્વે એક ગુન્હો દાખલ થયેલ અને તે ગુન્હામાં સસ્તા સોનાની લાલચે 50 લાખની છેતરપીંડીની ફરિયાદ દાખલ થયેલ જે અન્વયે આણંદ જીલ્લાની વાસદ પોલીસને સફળતા મળી છે, આ કેસમાં કામના ફરીયાદીને આરોપીઓએ 15 કીલો સોનું રૂપીયા પચાસ લાખમાં આપવાનું કહી સાડા આઠ કીલો સોનાના નકલી સીક્કા આપી ફરીયાદી પાસેથી રોકડા રૂપીયા પચાસ લાખ પડાવી લઇ ગુનો કરી નાસી ગયેલ હતા. જે ગુનાના નાસતા ફરતા આરોપી હરીભાઇ ગંગારામ રાઠોડ તથા તેનો દિકરો ભરતભાઇ હરીભાઇ રાઠોડ બંને રહે.મકાન નં.403, વલ્લભ રેસીડેન્સી ફલેટ, સન ફલાવર બ્લોક, વડસર તા.જી.આણંદ નાઓ ગુનો કરી બે મહીનાથી નાસતા ફરતા હોય જેઓને ટેકનીકલ રીસોર્સ તથા હ્યુમન રીસોર્સથી માહિતી મેળવતા બંને આરોપીઓ નાગપુર મહારાષ્ટ્ર ખાતે હોવાની હકીકત મળતા બંને આરોપીઓને નાગપુર-મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.