Mysamachar.in-જામનગર
જામનગર PGVCLમાં સુકા પાછળ લીલું બળ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે, જેમાં ઔદ્યોગિક સબ ડીવીઝનની કરોડોની ગેરરીતી ખુલ્લી પાડનાર અને સચોટ તપાસ કરનાર અધિક્ષક ઈજનેર એસ.આર.રાડાની માત્ર છ માસમાં બદલી કરી નાખવામાં આવતા અધિક્ષક ઈજનેર રાજકીય કાવાદાવાનો ભોગ બન્યાનું PGVCL સુત્રોમાં ચર્ચાઓ ચાલી રહી છે, તો જામનગર ઔધોગિક સબ ડીવીઝનના તત્કાલીન નાયબ ઈજનેર અને હાલ કાર્યપાલક ઈજનેર એ.એ.છત્રોલાની જેતપુર ખાતે બદલી કરી નાખવામાં આવી છે,
ખાસ કરીને જામનગર પીજીવીસીએલ સર્કલમા ખળભળાટ એટલે ચ્યો છે કે એક તો છ મહિનામા જ અધીક્ષક બદલાયા બીજુ અધુરી તપાસે બે ઉચ્ચ અધીકારીઓને બદલાવાયા ખરેખર કઇક રંધાયુ કે શુ? તે અટકળ છે રાજકીય કાવાદાવાની અટકળ છે કોઇને બચાવાની અટકળ છે એક તો જંગી કૌભાંડ બહાર આવ્યુ સંડોવાયેલ સુધી ઓન ધ રેકર્ડ પહોચવાનુ હતુ (આમ તો બધા જાણે જ છે કોણ છે તે) તેવા સમયે અધીક્ષક ની બદલી? એ સવાલો સર્જ્યા છે (શું સાચી તપાસ કરવાનું ઇનામ) જામનગર વીજવિભાગના ઔધોગિક વિસ્તારોમા રહેણાકમા ઔધોગીક જોડાણ આપી કરોડો રૂપિયાનો વિભાગને ધુંબો મરાયો અને તપાસમા પણ આવા ગેરકાયદેસર જોડાણના અનેક કેસ આવ્યા એટલું જ નહી આ સિવાયની પણ ઉદ્યોગનગર સબડીવીઝનમા રાજ કરનાર એક અધિકારીની સંડોવણી ખુલવા પામી હતી,
જામનગર દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કારખાનામાં સંચાલકો દ્વારા વીજળીના વપરાશના મસમોટા બીલોથી બચવા માટે રહેણાંક હેતુના વીજ કનેકશનોનો કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે ઉપયોગ કરીને વીજ કંપનીને લાખો રૂપિયાનું નુકશાન કરવાના તરકટને જામનગર પીજીવીસીએલએ ઝડપી લઈને પુરવણી બીલ ફટકારીને કાર્યવાહી હાથ ધરી હતી, જીઆઈડીસી વિસ્તારમાં લધુ ઉધોગ ધરાવતા નાના કારખાનાના સંચાલકો દ્વારા અગાઉ રહેણાંક હેતુના વીજ કનેકશનનો મેળવીને મોટાપાયે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે ઉપયોગ કરીને વીજકંપનીને મોટાપાયે નુકશાન કર્યું હોવાનો ખુલાસો થતાં વીજ કંપની દ્વારા આવા કનેકશનો ટ્રાન્સફર કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી,
ત્યારે લાંબા સમયથી આ વપરાશ થયો તે દરેક તો વસુલ થશે નહી એક બાજુ વીજલોસ થાય છે વિજચોરી થાય છે, ત્યારે આ રીતે વપરાશના ઉપયોગ બદલાય જાય તો પણ તપાસ ન થાય જવાબદાર સામે લાંબો સમય પગલા ન લેવાય વગેરે અનિયમિતતાઓ ટીકાપાત્ર બની છે માટે નુકસાન કરનાર સામે તપાસ કરી પગલા લેવાય અને નુકસાની તમામ લગત પાસેથી વસુલાય તે જરૂરી હોવાના અભિપ્રાયો જાણકારોના છે પણ પગલા લેવાને બદલે માત્ર બદલીઓ કરી અને રાજકીય કાવાદાવા થયા હોવાનું જાણવા મળે છે,
– જામનગરના નવા અધિક્ષક ઈજનેર તરીકે સી.કે.પટેલ
માત્ર છ માસ જેટલા ટુંકાગાળામાં જામનગર અધિક્ષક ઈજનેર એસ.આર.રાડાની બદલી કરી તેને રાજકોટ કોર્પોરેટ ઓફીસ ખાતે અધિક્ષક ઈજનેર રૂરલ ઈલેક્ટ્રીસીટીમાં મુકવામાં આવ્યા છે, જયારે તેમના સ્થાને જામનગર અધિક્ષક ઈજનેર તરીકે સી.કે.પટેલને મુકવામાં આવ્યા છે.
-કોઇને બચાવી લેવાનો કારસો કે શું?
જામનગર પીજીવીસીએલ સર્કલના ઉદ્યોગનગર વિસ્તારના અમુક કૌભાંડો હવે સ્પષ્ટ થઇ ગયા છે છતાય સખત પગલા લેવાના થાય અને એવુ લાગતુ તુ કે હવે કોક સસ્પેન્ડ થશે ત્યા તો અમુક લગતની માત્ર બદલી જ થઇ તે બાબતે જાણકારોમા આશ્ચર્ય છે કે સમગ્ર ખેલ અને ચોક્કસ બદલીઓએ સંડોવાયેલાને બાઇજ્જત સેઇફ રાખવાની વાત છે એક તો સર્કલમા અધીક્ષક થી વધુ રૂઆબ અને ઉપરથી તપાસમા જાણે ક્લીનચીટ જેવો માહોલ થયો હોય કૌભાંડ કરનારને મોકળુ મેદાન વિભાગ જ આપે છે કે શુ? તેવો સવાલ વીજવર્તુળોમા છે અને સમગ્ર ખેલ રાજકીય કાવાદાવા અને ચોક્કસ ને રક્ષણ નો છે તેમ મનાય છે.