Mysamachar.in-જામનગર
જામનગર પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા તથા રણજીતસિંહ પરમારને બાતમી મળેલ કે કાલાવડ ટાઉનમાં વર્ષ 2008માં થયેલ હત્યાના ગુન્હાનો આરોપી નાસતો ફરતો અને અમદાવાદ જેલમાથી પેરોલ જમ્પ કરેલ હારસંગ લુલીયાભાઇ બામણીયા પોતાની ઓળખ બદલી હાલ મોરબી જિલ્લાના બગથળા ગામે હાજર હોય જે બાતમી હકીકત આધારે આ શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા માટે કાલાવડ ટાઉન પોલીસ મથકને સોપી આપેલ છે. મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષથી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામા આ શખ્સ પેરોલ જમ્પ કરી અને પોતાની ઓળખ બદલી છેલ્લા 10 વર્ષથી પોલીસને થાપ નાસતો ફરતો હતો જેને આખરે જામનગર પેરોલ ફર્લો સ્કવોડે શોધી કાઢ્યો છે.