Mysamachar.in:જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં બે દિવસ ભારે વરસાદી માહોલ રહ્યો કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા…લોકોના ઘરનો સામાન પાણીમાં તણાઈ રહ્યો હતો ત્યારે ખાવા પીવાની વાત જ ક્યાં કરવાની હોય..હજુ કેટલાય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છે કેટલાય વિસ્તારમાં નબળા વર્ગના લોકો આજે પણ કોઈ તેની મદદ માટે આવે તેની રાહ જુએ છે, એવામાં જામનગર મહાનગરપાલિકાના ચુંટાયેલ 64 કોર્પોરેટરો જામનગર જીલ્લા પંચાયત અને અલગ અલગ તાલુકા પંચાયતોના સભ્યો જનપ્રતિનિધિઓ સહિતના આગેવાનો જે ચુંટણી વખતે વિસ્તાર વિસ્તાર અને ગલીએ ગલીએ લોકોના ઘરમાં જઈ અને મત માંગવા માટે આજીજી કરતા હતા અને કહેતા હતા કે અમે તમારા સુખ દુઃખમાં પાંચ વર્ષ સાથે જ છીએ તેવા વચનો આપતા હશે..? અને તેમાંથી અમુક સફળ થઇ જનપ્રતિનિધિ બની પણ બની ગયા..
પરંતુ ચુટાયા બાદ તાજેતરમાં જ ભારે વરસાદના એ દિવસો જામનગરનો વરસાદી માહોલ એવો હતો કે તેમાં સૌથી પહેલા લોકોને તેના વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરની જરૂર હતી, જે તેની સાચી મદદ કરી શકે…પણ કેટલાય કોર્પોરેટરો, જીલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિતના જન પ્રતિનિધિઓ એવા છે જેને આ બે દિવસ ઘર કે પોતાની ઓફીસ બહાર પણ નથી નીકળ્યા ત્યારે લોકો ખુબ જાગૃત છે ત્યારે લોકો પણ એ વાતને યાદ રાખે આવા કપરા દિવસો જયારે તમારે જરૂર હતી ત્યારે તમારા વિસ્તારમાં તમારા કોર્પોરેટર આવ્યા કે નહિ તે યાદ રાખજો અને જો ના આવ્યા હોય તો તે બાબતને યાદ રાખજો…કારણ કે જો તમને આવા સમયે તમારા વિસ્તારમાં સફાઈ સહિતની અન્ય મદદ માટે તમારા કોર્પોરેટર કે સ્થાનિક સભ્યો સક્રિય ના રહ્યા હોય તો હવે તે ક્યારે સક્રિય રહેશે તે તમારે વિચારવાનું છે.
જો કે અહી બધાની વાત નથી થતી…અમુક કોર્પોરેટરો કે ચુટાયેલા જીલ્લા પંચાયતના સભ્યો કે અન્ય જનપ્રતિનિધિઓ બધા એક સરખા ના પણ હોય અમુક અપવાદ પણ છે જેને આફતના સમયની રાહ જોવાની પણ જરૂર નથી તેવો આવા દિવસો સિવાય પણ પોતાના મત વિસ્તારમાં હંમેશા લોકોની વચ્ચે હોય છે જે ખરેખર સરાહનાને પાત્ર અને ખરા અર્થમાં જનપ્રતિનિધિ છે.