Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર જિલ્લાના લાલપુર કાલાવડ દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર વગેરે તાલુકાઓના ગામડાઓમાથી જુજ ગામડાઓમા જ્યારે પરિભ્રમણ કરવામા આવ્યુ ત્યારે સર્વે કરનાર અમુક ટીમો સામે ચોકાવનારા તારણએ સામે આવ્યા છે કે જ્યારે એમ કહેવાય છે કે “સાચુ હિન્દુસ્તાન ગામડાઓમા વસે છે” તો બેચાર દોરડા ફાઇબર ની લાઇન એકાદ સ્ટાફ વગરનુ દવાખાનુ એકાદ નિશાળ એ પણ જુની અને પુરતા શિક્ષકો વગરની ઘણા બસ વિહોણા ગામ ઘણી જગ્યાએ રોજગારને ધંધાને પરિવહન પુરતી ફેસીલીટીના અભાવ છે ત્યારે આ સ્થિતિમા સાચો દેશ વસે છે? નયા ભારતની શરૂ આત કરવી છે.? તો પહેલા નળ આપો એમા પાણી આપો પછી જાહેરાતો આપો….ચોમાસામા ગામડા વિખુટા પડે છે તો 27-27 વર્ષ સુધી તમને આશિર્વાદ તો આપ્યા અને રાહ પણ જોઇ…..અને મારા ભાઇ તમે હરી ફરી ને ઇ જ ચહેરા થોડા ઘણા સન્યાસ લઇ ફરી પટમા આવી જાવ છો તો પ્રજા તો ઓળખે જ છે કે એક સમાજવાડી કે બે શાળાના ઓરડા કે બે મોટા ટાંકા કે પચાસ સાંઇઠ ખેડૂની લોન કે થ્રી ફેઝ ના બસ્સો સવા બસો કનેક્શન કે તત્કાલ યોજનામા ખેતીમા વીજ જોડાણ કે નવા લોનેબલ પંપ સબસીડી વાળી ફેન્સીગ ને ગોડાઉન કે રોજગાર માટે કારખાના ઘસડી લાવો વગેરે…..આવુ સામાન્ય પણ નતુ કરાવી દીધુ…..એ જ છાપેલા………છોવ ને?
માટે તો કહેવાય છે ને કે 27-27 વર્ષ સુધી જનતાએ આશિર્વાદ આપ્યા…પણ “તમે” શૂ આપ્યુ.? જે આપ્યુ તે પુરતુ છે? આપણે સમજીએ કે બધુ એકીસાથે ન થાય પરંતુ બંધારણ મુજબ મળવાપાત્ર પાયાની સુવિધા પણ ન થાય? આરોગ્ય પાણી શિક્ષણ પરિવહન નાનો મોટો રોજગાર ખેતીની સાનુકુળતા રસ્તા સફાઇ વગેરે તો પુરા કરી અપાય ને? ના તેને બદલે અમુક નેતાઓએ મામકાઓના સાચા ખોટા ધંધાને રક્ષણ અપાવ્યા ને બાકીના અમુકને જંગી કોન્ટ્રાક્ટો અપાવ્યા ને? તેવા વેધક આક્ષેપ જાણકાર લોકો કરે છે માટે હાલ એમ પણ પડકાર ફેંકાય છે કે ગામડામા જાવ તો ખરા…..લોકો નિ:સાસા નાખે છે, કોઇ કામ જ નથી…એક બીજાના મોઢા જોવા શું? તેમ પુછે છે નતર કામ હોય લોકોને સુવિધા માંગ્યા વગર આપી હોય તો મારા સાયબ તમારી સભામા લોકસંપર્કમા ઉમળકાભેર લોકો આવે તેના બદલે અમુક વખતે તો સાહેબો તમે બધા…….જ હોવ છો તેથી ઓછા સામે હોય છે? યાદ કરો…..યાદ આવી જશે જ….તેમ પણ અમુક વિશ્લેષકો ચાબખા મારે છે..મારા સાયબ
સાચુ હિન્દુસ્તાન ગામડાઓમા વસે છે…..ત્યારે લાલપુરના ગામડા જામજોધપુરના ગામડા કાલાવડના ગામડા ખંભાળીયાના ગામડા ભાણવડના ગામડા કલ્યાણપુરના ગામડામા શુ આપ્યુ કે શુ અપાવ્યુ ? તમે પદ પર નતા તો પણ પક્ષમા તો હતા જ ને? મોંઘી કારમા ફરવામાં કે બે પાંચ દસ માથાના સાચવવામા ભલે વ્યસ્ત રહ્યા પણ પ્રજા પાસે નિયમિત ગયા હોત તો ચુંટણી લડતી વખતે આગળ પાછલ મોઠા ફેરવી સંખ્યા ગણી ગણી માયુસીના સામના અત્યારે અમુક જગ્યાએ કરવા પડે છે તે ન કરવા પડત ને? તેમ નિવડેલા લોકો કહે છે.
અને હા સાચુ હિન્દુસ્તાન ગામડામા વસતુ હોય તો હજુય સમય છે. પરંતુ વચનો આપવાના જ છે….આ સમય…..જો ગામડા વિફર્યા તો જોવા જેવી થશે અને અંડર કરન્ટ બહુ વિચિત્ર છે જો જો ઉલટ સુલટ જ થશે ને પ્રજા પાણી દેખાડશે તો સાડા સાત દાયકાએ…..છે…ક નલ સે જલ પાણી આપવાના બણગા ફુકો છો એ પાણીથી તો ફળીયા ભીના થશે પરંતુ પ્રજા પાણી બતાવશે તો? આવા સવાલ હાલ ગ્રામ્ય વિસ્તારમાથી ઉઠતા હોવાની ચર્ચા છે વળી શાસકો એ જે કર્યુ તે પરંતુ અનેક જગ્યાએ મુખ્ય હરીફ માના પ્રજા પ્રતિનિધીઓ છે તેમને પણ ગ્રાન્ટ મળે છે તેમણે પણ કેમ ન વિચારયુ? ને ઠીકરા જ ફોડ્યે રાખ્યા? તેમ લોકો સરખામણી કરી કોઇ મા રસ ન લે રૂચી ન દાખવે ઉમળકો ન દેખાડે ને નિરસ રે તો નવાઇ નહી…તેમ સાંભળવા મળે છે.