Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય અને હાલ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ લોકો પ્રશ્નો માટે સદાય સજાગ રહેતા નેતા છે, તેવો લોકોના પ્રશ્નોનું કઈ રીતે ઝડપભેર હકારાત્મક નિરાકરણ આવે તેના સતત પ્રયાસો જામનગર થી લઈને ગાંધીનગર સુધી કરતા રહ્યા છે, એવામાં આજે જામનગર ખાતે તેમની કચેરીએ લોક સંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી મંત્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.