Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનની ચુંટણી આવી ગઇ છે, ત્યારે વોર્ડવાઇઝ ઉમેદવારોની સરખામણી લોકો કરતા હોય છે, ત્યારે લોકોનો અભિપ્રાય અગત્યનો હોય છે તે ધ્યાને લેતા વોર્ડ નંબર 1 મા ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો લોકપ્રિય છે કેમકે લોકોની વચ્ચે રહેનારા તેમજ લોકોના દુખ-સુખમા સાથ આપવા પડખે ઉભા રહેનારા છે તેવો વિસ્તારમાથી અભિપ્રાય મળ્યો છે તેમાય અનુભવી કોર્પોરેટરો તેમજ ખુબ શિક્ષિત યુવતિ આ ચારેય ઉમેદવારો મુકાયા તેથી લોકો ખુશ છે,
જામનગર મહાનગરપાલિકાની આગામી તારીખ : 21-02-2021, રવિવારના રોજ યોજાનારી ચૂંટણીમાં જામનગર શહેરના વોર્ડ નંબર 1માં ભાજપા દ્વારા જ્ઞાતિગત બેલેન્સ જાળવી અને નિષ્ઠાવાન, પ્રમાણિક અને કાર્યશીલ ઉમેદવારોને મેદાને ઉતર્યા છે, અને તેવોનો પ્રચાર હાલ ચાલી રહ્યો છે, વોર્ડ નંબર 1 તથા શહેરના સર્વાંગી વિકાસમાં આ પેનલ ચુંટાઈને આવે તે માટે વિસ્તારના લોકો પણ આગળ આવી રહ્યા છે.હાલની પેનલના બે પૂર્વ કોર્પોરેટર સહીત નવા બે ઉમેદવારોએ પાછલા વર્ષોમાં આ વિસ્તાર માટે ખુબ સક્રિયતા દાખવી છે, અને તેના કારણે જ ચારેય ઉમેદવારોને લોકો તરફથી આવકાર મળી રહ્યો છે,
આ વખતે આ વોર્ડ નંબર 1 માં સૌથી નાની વયની મનીષા બાબરિયાને ભાજપે ટીકીટ આપી છે, તે શિક્ષિત છે યુવા છે અને વિસ્તાર માટે ઘણું કરી છૂટવાની ભાવના ધરાવે છે તેમનો ઉત્સાહ બતાવે છે કે તેઓ ખરેખર જનસેવા માટે આતુર છે તે સિવાયના ત્રણેય ઉમેદવાર અનુભવી નગરસેવકો રહી ચુક્યા છે માટે લોકોની સેવાનો સંકલ્પ સાકાર કરી ફરી વખત પસંદ થયા છે તે તેમનુ ત્રણેયનુ જમા પાસુ છે,
-ઉમેદવાર ઉમરભાઇ ઓસમાણભાઇ ચમડીયા (ઉમરભાઇ પટેલ)
આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર તેમજ જાગૃત આગેવાન હ૨-હંમેશ ગરીબ તેમજ નાના માણસોના પ્રશ્નોને વાંચા આપી રહ્યા છે. તેઓએ કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ આ વિસ્તારના અગત્યના વિકાસના કામો જેવા કે, પાણીની પાઈપ લાઈન, ભૂગર્ભ ગટર, રોડ-રસ્તા, લાઈટ, 23 આંગણવાડી, 6 સ્કુલો, ફોર ટ્રેક રોડ (બેડેશ્વરના કાંટાથી બેડીબંદર સુધી), મચ્છીમારો માટે (દરિયાઈ ખેડુ) ને કાયમી મદદ કરતા અને તેઓના પ્રશ્નો માટે સતત ચિંતિત ઉમેદવાર છે. વધુમાં તેવોએ મચ્છીનો વેપાર કરતી મહિલાઓને ખૂબ જ મદદ કર્યાનું પણ જાણવા મળે છે.
-ઉમેદવાર ફિરોઝભાઇ હુસેનભાઇ પતાણી
આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર તેમજ નાના ગરીબ લોકોને સતત મદદ કરનાર પૂર્વ કોર્પોરેટર તરીકે તેઓએ આ વિસ્તારમાં અનેક વિકાસના કામો જેવા કે રોડ-રસ્તા, પાણી, આરોગ્ય તેમજ લાઈટ વગેરે જેવા લોકોને સ્પર્શતા દરેક કામો અને તમામ ધર્મના લોકોને સાથે રાખી સર્વ મુખી વ્યકિતતત્વ ધરાવે છે. તેઓ માત્ર પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમ છતાં પણ ખુબ જ નિષ્ઠા અને ખંતથી સફળતાથી લોકોના કામ કરી રહ્યા છે અને મહાનગરપાલિકાની કચેરીઓમાંથી સ્થાનિક લોકોના પ્રશ્નોને વાંચા અપાવીને ભારે લોકચાહના મેળવી ચુકયા છે.
-ઉમેદવાર હુશેનાબેન અનવરભાઇ સંઘાર
આ વિસ્તારના જાગૃત પૂર્વ મહિલા કોર્પોરેટર છે તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં નાના તેમજ ગરીબ લોકોને તમામ પ્રશ્ને સજાગ રહીને જરૂરી તમામ પ્રકારની મદદ કરેલ છે. અને વિસ્તારના વિકાસના કામો જેવા કે રોડ-૨સ્તા, પાણી, ભૂગર્ભ ગટર, લાઈટ, આંગણવાડી, 6 સ્કુલો, બેડેશ્વર બેડીબંદર સુધીનો ફોર ટ્રેક રોડ અને મહિલાઓને પ્રોત્સાહિત કરતી, અનેક યોજનાઓ લાવી વોર્ડના મતદારોને ખુબ જ મદદરૂપ બનેલ છે.
-યુવા શિક્ષિત ઉમેદવાર કુ. મનિષાબેન અનિલભાઇ બાબરિયા
આ વિસ્તારને ખુબ જ ભણેલ-ગણેલ, સંસ્કારી ઉમેદવાર મળેલ છે. તેઓએ બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ છે અનેક સામાજિક સંસ્થાઓ સાથે રહી સેવા કરવાનો અનુભવ ધરાવે છે. તેમના પિતા અનિલભાઈ બાબરિયા જી.જી. સરકારી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ નાના તેમજ ગરીબ દર્દીઓને મદદ માટે હંમેશા રાતદિવસ જોયા વિના ખડેપગે રહે છે,જે સર્વવિદિત છે. જામનગર શહેર ભાજપ દ્વારા સૌ પ્રથમ નાની વયના ઉમેદવારને તક આપવામાં આવી છે અને માત્ર 21 વર્ષની ઉમરે જ તેઓ આ વિસ્તારમાં ઉમેદવારી કરીને લોકસેવાના કાર્યો કરવા માટે તત્પર બન્યા છે.
-લોકસેવા અને લોક ચાહનાથી મળી ઉમેદવારીની તક
આ ચારેય ઉમેદવારો ખુબ જ મતદારો પર પ્રભાવ ધરાવે છે. તેઓના અનેક કામો બોલે છે કોરોના કાળમાં લોકડાઉન દરમ્યાન નાના તેમજ ગરીબ પરિવારોને અનાજની કીટો તેમજ આરોગ્યના સાધનો આપી ખુબ જ મદદરૂપ બનેલ હતા. માટે આગામી ચૂંટણીમાં અમોને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કરેલ છે.