Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લામાં મારામારી,પ્રોહીબીશન, જુગાર ધારા હેઠળની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા, તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચનાર ઇસમો ઉપર પાસા હેઠળ અટકાયત પગલા લેવા જામનગર જીલ્લા મેજિસ્ટેટ સૌરભ પારધી તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.કે.કે.ગોહિલ નાઓને સૂચના કરવામા આવેલ હતી,
જેથી મારામારી,પ્રોહીબીશન, જુગાર ધારા હેઠળની અસામાજીક પ્રવૃત્તિ આચનાર વિરૂધ્ધ એલ.સી.બી.એ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ જામનગર તરફ મોકલી આપવામાં આવેલ, જે પાસા દરખાસ્ત અનુસંધાને દારૂના 7 ગુન્હાઓ માં સંડોવાયેલ ઉદરાજ ઉર્ફે ઉદો નાથસુરભાઇ સુમાત ચારણ રહે જોગવડગામ, તળાવનેશ ને પાસા તળે વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યો છે