Mysamachar.in-જામનગર
77-જામનગર ગ્રામ્યના ધારાસભ્ય, આ જ બેઠક પર ભાજપના હાલનાં ઉમેદવાર અને રાજ્યનાં કૃષિમંત્રી રાઘવજી પટેલ એક એવું નામ છે, જે લાખ્ખો લોકોનાં દિલોમાં ગૂંજી રહ્યું છે, દાયકાઓથી.જિલ્લાનાં ખેડૂતનેતા તરીકે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતાં રાઘવજીભાઈની એક ખાસિયત છે, અતિ વ્યસ્ત શેડયૂઅલ વચ્ચે પણ તેઓ જામનગર હોય કે ગાંધીનગર, સૌને ઈઝીલી અવેઈલેબલ અને એ પણ ચોવીસેય કલાક ! 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારના હજારો મતદારો ઉપરાંત સમગ્ર જામનગર જિલ્લાના લાખો લોકો જાણે છે કે, રાઘવજીભાઈ લોકોની વચ્ચે રહેતાં નેતા છે.
જામનગરમાં દર સપ્તાહે લોકદરબારની વાત હોય કે તેઓનાં ધારાસભ્ય કાર્યાલયની વાત, રાઘવજીભાઈને તમે ગમે ત્યારે મળી શકો. તેઓ સૌની વાત, સૌની સમસ્યાઓ ધીરજથી સાંભળે અને રજૂઆત કરનારની હાજરીમાં જ અધિકારીઓ સહિત સૌ સંબંધિતોને આ રજૂઆત અંગે જરૂરી સૂચનાઓ આપી, અરજદારને તથા કાર્યકરને હસતાં મોઢે વિદાય આપે. સૌનું કામ કરે. સૌને સંતોષ આપે.
રાઘવજીભાઈએ પાછલાં પાંચ વર્ષમાં રાજ્યનાં કૃષિમંત્રી તરીકે જામનગર સહિત રાજ્યભરના લાખો ખેડૂતોનાં નાનાંમોટાં કામો નિપટાવ્યા છે, પડતર પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે. લાખ્ખો ખેડૂતોનાં આશિર્વાદ તેઓની સાથે છે. અને તેઓની આ સક્રિયતાને કારણે જ, ભાજપાનાં મોવડીઓએ આ વખતે પણ તેઓને તેઓની વર્તમાન બેઠક પર જ ટિકિટ આપી છે. જામનગર જિલ્લા ભાજપાનું જબ્બર પીઠબળ તેઓની સાથે છે. ગામેગામમાં સરપંચો સહિતના સ્થાનિક આગેવાનો અને હજારો કાર્યકરો રાતદિન જોયાં વિના રાઘવજીભાઈ માટે કામ કરે છે. જિલ્લાનો એક એક ખેડૂત રાઘવજીભાઈના વખાણ કરે છે. કામો નિપટાવતા ખેડૂતનેતા તરીકેની તેઓની લાંબી રાજકીય કારકિર્દીને કારણે તેઓ પાસે અદભૂત કુનેહ અને સૂઝ છે.
રાઘવજીભાઈને હાલનાં ચૂંટણી પ્રવાસમાં ગામેગામ જબ્બર પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. તેઓ પોતાના ફેસબુક પેજ પર પણ 66,000 થી વધુ લોકો સાથે સીધાં જ જોડાયેલાં અને સોશિયલ મીડિયામાં પણ સક્રિય નેતા છે. નાની મિટિંગ હોય કે વડાપ્રધાનની સભા અથવા મુલાકાત, રાઘવજીભાઈ હંમેશા સજ્જ હોય છે. સક્રિય રહે છે.
તેઓ પોતાના મતદારોને એક એક દિવસનો, એક એક પાઈનો હિસાબ આપે છે. મતદારો સહિતનાં સૌ લોકો માટે ખર્ચાઈ જવું એ ભાજપાની સંસ્કૃતિ છે અને રાઘવજીભાઈ આ નીતિ પર ચાલી રહ્યા છે. તાજેતરમાં તેઓએ પોતાના મતવિસ્તારમાં ધૂડસિયા, દરેડ, ધુંવાવ, ગડુકાજીવાપર, બાલંભડી, દોઢિયા, ચંદ્રગઢ અને લોઠીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કર્યો. સેંકડો સ્થાનિક આગેવાનો અને કાર્યકરો તથા હજારો ગ્રામજનોને રૂબરૂ મળ્યા. સૌએ તેઓને ભાજપાનાં જબ્બર વિજયની ખાતરી આપી. ધુંવાવ મુલાકાત દરમિયાન સાંસદ પૂનમબેન માડમ પણ પ્રવાસમાં જોડાયા હતાં. રાઘવજીભાઇ કહે છે: અમારી પાસે સેંકડો વિકાસકામોનું ભાથું છે અને મતદારોનો ભાજપા પરનો ભરોસો અમારી પ્રેરણા છે, અમારી તાકાત છે.