Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા પુરવઠા કચેરી પાસે ઇન્સ્પેક્શનની વિગતો નથી માટે ખરેખર તે લોકો રેશનના વોર્ડ, પેટ્રોલપંપ, ગેસએજન્સી, કેરોસીનડેપો, સહિત ગ્રાહકોની બાબતો વગેરેના ઇન્સ્પેક્શન કરે છે કે કેમ તે સવાલો ઉઠે છે અને ઇન્સ્પેક્શન ન કરતા હોય તો તે અંગે પણ અલગથી તપાસ થવી જોઇએ એવી જાણકારોની પ્રબળ માંગણી છે કેમકે કાયદેસર શુ ફરજ છે તે અલગ છે અને જામનગર પુરવઠા કચેરીની કામગીરી તે મુજબ નથી તે દીવા જેવુ સ્પષ્ટ છે, અને પાછું તેના જ રેકોર્ડ પર છે,
હવે રેકર્ડ ઉપર જે નોંધાયેલુ છે તે અક્ષરસ: જોઇએ તો ” જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા ગોઠવી અંત્યોદય યોજના નીચે તેમજ ગરીબી રેખા નીચેના અને ગરીબી રેખા ઉપરના જરૂરીયાતમંદ રેશનકાર્ડ હોલ્ડરોને ઘઉ ચોખા ખાંડ પામોલીન અને ખાદ્યતેલ કેરોસીનનુ વિતરણ કરવામા આવે છે તે સિવાય આવશ્યક અને અંકુશીત ચીજવસ્તુઓનો જથ્થો બજારમાં જળવાઇ રહે તેમજ નિયત થયેલા ભાવે મળી રહે અને તેમાં ગેરરિતી ન થાય તે માટે નિયમિત રીતે તપાસ કરવામાં આવે છે જે વપરાશ કર્તા માટે હિતાવહ છે. “
આ ઉપર મુજબનો ફરજનો પ્રકાર રેકર્ડ ઉપર છે કાયદા મુજબ છે પરંતુ પુરવઠા અધીકારી અને ચોક્કસ ઇન્સ્પેક્ટરો પ્રજાહિતમા તપાસણીમા ગયા જ નથી તેવા આક્ષેપો જાણકારો છડેચોક કરે છે અને કાયદા મુજબની ફરજમા ચોક્કસ કારણથી જ ગાફેલ રહી કથિત ભ્રષ્ટાચાર કરે છે, તેમ પણ જાણકારો આક્ષેપ કરે છે ખરેખર ઘણા રેશનવોર્ડમા માલ નથી મળતા પુરા નથી મળતા નિયમિત નથી મળતા વગેરે અનેક બાબતોની ફરિયાદો તો થોકબંધ પ્રમાણમા mysamachar.in ની ઝુંબેશ મા મળી છે.
-DSO, 2 ઇન્સ્પેક્ટર, હેડ ક્લાર્ક અને એક ક્લાર્ક સામે પગલા લો….ફરજ બજાવાના અને ફરજ ચુકવાના..બંને પ્રકારના લે છે વળતર..?
આ સિવાય એમ બતાવ્યુ છે કે આવશ્યક ચીજવસ્તુ નિયત ભાવે નિયમિત મળે તે જોયુ ન હોય દુધ શાકભાજી કઠોળ અનાજ તેલ બટેટા ડુંગળી વગેરેના જુદા જુદા ભાવ ગુણવતા અને માલ ઘણી વખત પુરતો ન મળે વગેરે બાબતો બનતી જ રહે છે, છતાય જામનગર જિલ્લા પુરવઠા કચેરી એ દિશામા કામ કરતી જ નથી તેમ પબ્લીકનો અભિપ્રાય છે, માટે કાયદા મુજબની ફરજના ભંગ અંગેના પગલા જિલ્લા પુરવઠા અધીકારી બે પંકાયેલા ઇન્સ્પેક્ટરો હેડક્લાર્ક અને એક ક્લાર્ક સામે લેવાય તે જરૂરી છે જે માટે પુરાવા સાથેની સનસનીખેજ બાબતો ઉચ્ચકક્ષાએ પહોંચાડવા અમુક એ તૈયારી કર્યાનુ જાણવા મળ્યુ છે, કેમકે આ લોકો ખુલ્લે આમ ફરજ ચુક્યા છે અને ફરજ ચુકવાના વળતર અલગથી મેળવે છે તેવા આક્ષેપો પણ થાય છે, પ્રજાનુ જે થવુ હોય તે થાયની નીતિરીતી આમ તો અનીતિ અખત્યાર કરે છે તેમ સુત્રો જણાવે છે.