Mysamachar.in-જામનગર
જામનગર ઉતર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પોતાની સાદગી અને લોકો સાથેના મળતાવડા સ્વભાવના કારણે લોકપ્રિય જનપ્રતીનીધી છે, તેવોની સાદગીના ઉદાહરણ અનેક વખત લોકોને જોવા મળે છે, તાજેતરમાં જ તેવોએ ઇવાપાર્ક વિસ્તારમાં સ્થાનિક આગેવાનો અને લોકો સાથે ગરબે ઘૂમ્યા હતા, ત્યાં જ મંત્રી હકુભાની સાદગીનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે.
જામનગર જીલ્લાના લાલપુર નજીક ભોળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે, અને આ મંદિર ખાતે દર્શન કરવા માટે જામનગરથી લોકો શ્રાવણ માસના રવિવારે રાત્રીના પગપાળા દર્શન કરવા જવા માટે નીકળે છે અને વહેલી સવારે ભોળેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચી અને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે, ત્યારે ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે દરવર્ષ જયશ્રી ભોલેનાથબાપા મિત્રમંડળના પરેશભાઈ દોમડીયા, જયેશભાઈ દોમડીયા અને મુન્નાભાઈ વસીયર સહિતની ટીમ દ્વારા પગપાળા જતા ભાવિકો માટે રસ્તામાં ફરાળી ચીપ્સના પ્રસાદની વ્યવસ્થા જામનગર થી 10 કિલોમીટર દુર સોમનાથ હોટેલ નજીક કરવમાં આવે છે. જ્યાં ગતરાત્રીના રાજ્યમંત્રી હકુભા જાડેજા પણ પહોચ્યા હતા જ્યાં તેવોએ મિત્રમંડળના કાર્યકરો સાથે પોતે પણ પગપાળા ભાવિકો માટે તેની સાથે બેસી ચિપ્સ બનાવી અને પોતે રાજ્યમંત્રીના હોદા પર હોવા છતાં સાદગીથી વરેલા હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.