Mysamacharin-જામનગર
જામનગર જીલ્લામાં લાંબા સમય બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, મૂળ જોગવડ ગામના અને હાલ મુંબઈમાં વસવાટ કરતા નીકેશ ભગવાનજીભાઈ કરણીયાએ મેઘપર પડાણા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના વડીલો પાર્જીત ખેતીની જમીન જોગવડ ગામના ખાતા નંબર-172 નવા સર્વે નંબર-84 (જુના સર્વે નંબર-88) ક્ષેત્રફળ-28794.00 તેમજ નવા સર્વે નંબર-311 (જુના સર્વે નંબર-192) ક્ષેત્રફળ-4485.00ની જમીન તેમના દાદા વીરચંદ ઉર્ફે વીદુભઈ લખમણભાઈ કરણીયાના માલીકીની હોય જેઓ મરણ જતા આ ઉપરોક્ત સર્વે નંબરવાળી જમીન તેમના પિતા ભગવાનજી વીરચંદભાઈ કરણીયા સહીત પોતે અને પરીવારના સભ્યોના સંયુક્ત વારસદારના નામે હોવા છતા આ જમીન પર જેની માલીકી ન હોવા છતા હિતેન્દ્રસીંહ પ્રભાતસીંહ કેર અને હેમતસીંહ દેવુભા કેર જે બન્ને પણ જોગવડ ગામના રહીશ છે તેવોએ આ જમીનનો કબ્જો રાખી ખાલી નહી કરી પચાવી પાડી ગુનો કરવામા એકબીજાની મદદગારી કર્યા સબબની ફરિયાદ મેઘપર પડાણા પોલીસ મથકમાં નોંધાતા આ કેસની આગળની તપાસ ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈ ચલાવી રહ્યા છે.