Mysamachar.in-જામનગર
જામનગર PGVCL સર્કલના નવા અધિક્ષક સામે અનેક પડકારો છે, પાણીની જેમજ આવશ્યક સેવા ગણાતી વિજળીનો હમણા તો લોકડાઉનમા હળવો ઉપયોગ હતો પરંતુ છુટછાટ બાદ વપરાશ વધ્યોને ધાંધીયા વધ્યા તે તેમને જોઈ ઉકેલ લાવવો પડશે ઉપરાંત ઓફીસમા રહેલી જુથબંધી અને કોર્પોરેટ ચેનલ છે તે પણ તોડવી પડશે તેમ સમીક્ષકોમા ચર્ચા છે જોઇએ શુંથાય છે? તેમ વિશ્ર્લેષકો સવાલ સાથે નવા અધીકારીની કાર્યપદ્ધતિની અસરકારકતાની રાહ જુએ છે,
જામનગર PGVCLના અધિક્ષક ઈજનેર એ.કે.મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ તેમની જગ્યાએ એસ.આર.રાડાએ કાર્યભાર સંભાળ્યો છે, નવા અધિક્ષક ઈજનેર રાડાએ તાકીદે કાર્યપાલક ઈજનેરો તથા વર્તુળ કચેરી તથા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર સહીત એકઉન્ટન્સ ઓફિસર્સ, એચ.આર વડા તમામની સાથે જીલ્લાની કામગીરીની રૂપરેખા તેમજ પ્રજાકીય કામગીરી સતર્કતાથી અને સંતોષજનક રહેવી જોઈએ તેવી સલાહ આપી હતી. રાડા શિસ્તના ખુબ જ આગ્રહી હોય પ્રવર્તમાન સ્થિતિમાં સતર્ક-સાવચેત રહી જીલ્લાના તમામ કર્મચારીને સલામતી સાધનો આપવા તેમજ પુરેપુરા સમયની ફરજો બજાવવા તાકીદ કરી હતી. કચેરીમાં કાર્યકર્તા નાયબ ઈજનેરોને પણ ફિલ્ડ લેવલના કામો કરવા, ગ્રાહકોની ફરિયાદોના રહે તે માટે બપોર સુધી પેટા વિભાગીય કચેરીઓને મદદરૂપ થવા જણાવ્યું હતું.
સાથોસાથ ઔદ્યોગિક ક્ષેત્રની પેન્ડીંગ દરખાસ્તો આગળ ધપાવવા ખાતરી આપી હતી. રાડા અનુભવી અને કુશળ વ્યવસ્થાપક હોય જીલ્લાના અગ્રણી રાજકીય આગેવાનોએ તેમની નિયુક્તિ તુર્તજ થાય અને કાર્યભાર સાંભળી, જીલ્લાનો વિકાસ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી સહયોગ આપવા ખાતરી આપી હતી. રાડાએ તાકીદે લીધેલી મીટીંગમાં જામનગર વીજબોર્ડ નેટવર્કથી વાકેફ હોય તેવા ઈજનેરોને આશ્ચર્યજનક રીતે વેધક પ્રશ્ર્નો પૂછ્યા હતા. જે મીટીંગ પૂરી થયે કર્મચારી-ઈજનેરો ચર્ચા કરતા જોવા મળ્યા હતા અને “પાલી” નહી ચાલે તેમ પણ ગણગણતા હતા