Mysamachar.in-જામનગર
જે રીતે સમગ્ર ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે તેને લઈને તંત્ર દ્વારા શક્ય તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જો જામનગરની વાત કરવામાં આવે તો જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આજે NDRFની 15 ટીમો આવી પહોચી છે two C-130 J aircraft મારફત NDRF ના 126 જવાનો તેના સાધનો સાથે ભુવનેશ્વરથી જામનગર ખાતે આવી પહોચ્યા છે, જામનગરમાં આ ટીમોના આગમન બાદ હવે તેને જુદા જુદા જિલ્લાઓમાં રવાના કરવામાં આવશે.