Mysamachar.in-જામનગર
ગત 3 ઓગસ્ટના રોજ ધ્રોલ તાલુકાના લતીપુર ગામે 45 વર્ષીય ધનજીભાઇ દામજીભાઇ જોગલ નામના આઘેડની કોઈ કારણોસર કોઇ અજાણ્યા ઇસમએ માથામાં તથા શરીરના અલગ અલગ ભાગોમાં તીક્ષણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો હતો, જે ગુન્હાનો ભેદ ઉકેલવા જામનગર સ્થાનીક ગુન્હા શોધક શાખા સહિતની ટીમો કાર્યરત હતી તે દરમિયાન એલસીબીના ASIસંજયસિંહ વાળા, હરદિપભાઇ ધાંધલ, યશપાલસિંહ જાડેજા બાતમીદારથી હકિકત મળેલ કે લતિપુર ગામે ધનજીભાઇ ઉર્ફે ધકલો દામજીભાઇ જોગલ અને સુરેન્દ્રસીંગ ઉર્ફે બંટી ગજાભાઇ મોહનીયા રહે. લતીપરગામ, તા.ધ્રોલ જી.જામનગર મુળ અલીરાજપુર મધ્યપ્રદેશનો મિત્ર હોય અને બોલાચાલી થતા આ બનાવ પછી તેઓ 2 દિવસથી ગામમાં આવેલ ન હોય તે રીતેની તેઓની વર્તણૂક શંકાસ્પદ જણાય છે. જે બાબતે પૂછપરછ કરતા સુરેન્દ્રસિંગે પોતે જ આ હત્યા મરણજનાર સાથે બોલાચાલી ઝઘડો થતા લાગી આવતા ધોકા વડે માથામાં તેમજ શરીરે માર મારી જીવલેણ ઇજા પહોચાડી ખૂન કરેલ હોવાનું જણાવતા એલસીબીએ તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ મથકને સોંપી આપેલ છે.