Mysamachar.in-જામનગર:
જામનગર દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા એસ.એ.જી.વાય. હેઠળ જામજાપુર તાલુકાનું સીદસર ગામ પસંદ કરાયેલ છે.આ ગામે સાંસદ પુનમબેન માડ્મની અધ્યક્ષતામાં પદાધિકારીઓ અને સંબંધીત અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક વીજાયેલ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધીના આદર્શને લક્ષમાં રાખી ગામના સર્વાંગી વિકાસના વ્યાપક દૃષ્ટીકોણ અનુરૂપ સાંસદ પૂનમબેન માડમની 17મી લોકસભા ટર્મ માટે પસંદ થયેલ આદર્શ ગામ તરીકે સીદસર પસંદગી કરાયેલ છે. જેથી આ ગામના માળખાકિય અને સામાજીક વિકાસને સમાન મહત્વ મળી રહે તેવા ઉમદા હેતુસર ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી સામાજીક અને વ્યકિતગત યોજનાઓનો લાભ મળી રહે તે માટે રીવ્યુ બેઠક રાખેલ હતી.
આ રીવ્યુ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગામે હાલની પ્રર્વતમાન માળખાકીય સુવિધાઓ અને ભવિષ્યની પાયાની માળખાકીય જરૂરીયાતો તથા કેન્દ્ર અને રાજયની લોકોની સુખાકારી અંગેની કલ્યાણકારી વિવિધ યોજનાઓ ગામના પાત્રતા ધરાવતા દરેક લોકોને લાભ મળી રહે તે માટેના વિગતવાર ગ્રામ વિકાસ પોજના તૈયાર કરવા જણાવ્યું હતું.સીદસર ગામે ઉમીયા માતાજીનું મંદિર આવેલ છે. આ યાત્રાધામ ખાતે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય, જેથી ગામે મહતમ માળખાકીય સુવિધા મળી રહે તે માટે યોગ્ય આયોજન બધ રીતે ગામે તમામ વ્યવસ્યાઓથી શ્રેષ્ઠ આદર્શ ગ્રામ બનાવવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનના નેતૃત્વમાં લાગુ કરાયેલ આદર્શ ગ્રામ યોજનાના ઉમદા હેતુને સિધ્ધ કરવા સરકારના દરેક વિભાગના સભષીત અધિકારીઓ ગામે સર્વે કરી કોઈ પાત્ર વ્યક્તિ-લાભાર્થી લાભોથી વંચીત ના રહે તે માટે ડોર ટુ ડોર સર્વે કરી લાભ અપાવે તેમજ નોડલ અધિકારી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે તેવી સુચના સાંસદ પૂનમબેન માડ્મએ આપી હતી.આ રીવ્યુ બેઠકમા ગામના સરપંચ ઉષાબહેન કિશોરભાઈ અમૃતીયા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, એ.પી.એમ.સી. ડાયરેકટર સી.એમ વાછાણી, તા.પંચાયત ઉપપ્રમુખ દેવાભાઈ પરમાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર, જીલ્લા ભાજપા મંત્રી કૌશીકભાઈ રાબડીયા, શહેર ભાજપા પ્રમુખ જયેશભાઈ ભાલોડીયા, પૂર્વ સરપંચ ભરતભાઈ માકડીયા ઉપરાંત ચાર્જ ઓફિસર પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી. અને સબંધીત ખાતા કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.