Mysamachar.in-જામનગર:
ભાજપના ભરૂચ સાંસદના મામલતદાર-નાયબ મામલતદાર સાથે અભદ્ર વર્તન મામલો ઉચ્ચ કક્ષાએ પહોચ્યો છે, રાજ્ય ગુજરાતના ખુણે ખુણેથી આક્રોશ લગત વિભાગોમાં ઉભો થયો છે ત્યારે જામનગરમા લગતએ આગબબુલા થઇ આવેદન પાઠવ્યુ છે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના મુદાઓ પર નજર કરવામાં આવે તો ગુજરાત રાજ્ય મામલતદાર એસોસીએશન ના માર્ગદર્શન હેઠળ જામનગરના આ એસોસીએશન તેમજ સમર્થક તેમજ લગત રેવન્યુ સ્ટાફે જામનગર કલેક્ટર કચેરીમા પાઠવેલ આવેદનમા સાંસદ મનસુખભાઇ વસાવા, દ્વારા કરજણ મામલતદાર તથા નાયબ મામલતદાર સાથે અશોભનીય વર્તન કરવા બાબત વિષયે લેખીત આવેદનમા રજુઆત છે કે, મનસુખભાઇ વસાવા અને માજી ધારાસભ્ય સતીષ નિશાળીયા આ બન્નેએ મોજે.માલોદ ગામે તા.૨૧/૦૨/૨૦૧૨ ના રોજ અકસ્માત થયેલ જેની શ્રધ્ધાંજલી આપવા માટે તા.૨૨/૦૨/૨૦૨૨ ના રોજ તેઓની સાથે મામલતદાર અને નાયબ મામલતદાર બન્ને પ્રોટોકોલ મુજબ ગયેલ હતા.
અકસ્માતના સ્થળે મનસુખભાઇ વસાવા તરફથી સ્થળ ઉપર ગામ લોકો અને સરકારી અધિકારીઓની વચ્ચે જાહેરમાં ખોટી રીતે ઉશ્કેરાટમાં આવી સાંસદ મનસુખભાઇ વસાવા તરફથી બિભત્સ ગાળો બોલી અશોભનીય વર્તન કરેલ છે. તથા ધમકી ભર્યા સ્વરમાં મામલતદાર સાથે એક પદાધિકારીને શોભે નહી તેવુ અશોભનીય વર્તન કરેલ છે. જેના કારણે મામલતદાર અને તેઓની સાથેનો સ્ટાફ આઘાતવશ થઇને ઘોર નિરાશામાં પડી ગયેલ છે. સમગ્ર ઘટના દરમ્યાનની વિડીયો ક્લીપ જોતા મામલતદાર તથા સ્ટાફ દ્વારા અન્ય પદાધિકારીસામે એકદમ સંયમપૂર્વક વર્તન કરેલ છે. તથા અકસ્માત ઘટનાની વિગતો જોતા મામલતદાર કે તેઓના સ્ટાફને આવી ઘટનાઓ સંબંધે જવાબદારી હોતી નથી. જે બાબતે પોલીસ વિભાગની ફરજ બનતી હોય છે.
આ ઘટના સમગ્ર વહીવટી તંત્ર માટે કલંકરૂપ ઘટના છે તથા આ ઘટનાના સમગ્ર રાજ્યના તમામ અધિકારીઓ અને કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે, જેથી સમગ્ર ઘટના પરત્વે સંબંધિત પદાધિકારી વિરૂધ્ધ યોગ્ય કાનુની પગલા લેવા જરૂરી છે. ગુજરાત રાજ્ય મામલતદાર અશોસિઓએશન કડક શબ્દોમાં ટીકા કરે છે તથા સંબંધિત પદાધિકારી જાહેરમાં સંબંધિત મામલતદારની માફી માંગે તેવી માંગણી કરીએ છે તથા તેઓની વિરૂધ્ધ એક સરકારી અધિકારી વિરૂધ્ધ જાહેરમાં અશોભનીય વર્તન કરવા માટે કાનુની પગલાં લેવા માટે સંબંધિતોને સરકાર તરફથી આદેશ થાય તેવી અમારી માંગણી છે.આ અંગે જામનગરમાં પણ અધિક કલેકટરને રેવન્યુ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે.