Mysamachar.in-જામનગર
કોરોના મહામારીએ રાજયમાં ભરડો લીધો છે ત્યારે તમામ હોસ્પિટલોમાં દર્દીઓની મોટી લાઈનો લાગે છે અને જામજોધપુર શહેરમાં નજીકમાં કોઈ જ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ન હોય જેના કારણે કોરોના દર્દીઓને જામનગર આશરે 90 કી.મી., પોરબંદર આશરે 85 કી.મી., રાજકોટ આશરે 140 કી.મી. જેટલી દુર હોસ્પિટલોમાં લઇ જવામાં મુશ્કેલી પડે છે તેમજ ઘણા ક્રીટીકલ કેશોમાં દર્દીઓના મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે જામજોધપુર શહેરમાં તાત્કાલિક અસરથી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ફાળવવામાં આવે તો આ વિસ્તાર તેમજ નજીકના 50 કી.મી.ના એરિયામાં કોરોના તેમજ અન્ય બીમારીઓ સબબ પીડાતા લોકોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે તાકીદે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ફાળવવા રાજ્યના આરોગ્યમંત્રીને ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ રજૂઆત કરી છે.