Mysamachar.in-જામનગર
રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા તેમજ કુટીર ઉદ્યોગમંત્રી અને જામનગર શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) લો પ્રોફાઇલ રહેવામા માને છે, ત્યારે પ્રજાલક્ષી કામો માટે જવામા વધુ એક વખત પ્રસંશનીય પગલુ તેમને ભર્યુ જે લોકોમાં ફરી પ્રશંશાનંર કેન્દ્ર બન્યું છે, રાજ્યમંત્રી હકુભા પોતાની સાદગી માટે જાણીતા છે અને રૂઆબ વિના સરળતા અને સહજતાથી લોકો વચ્ચે રહે છે ત્યારે આજે પણ એક ખાતમૂહર્તના કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર સાથે બાઈક પર બેસીને તેવો વિસ્તારમાં નીકળ્યા હતા જે બાબતની નાગરીકો પ્રસંશા કરતા સાંભળવા મળ્યા હતા.
રાજ્યમંત્રી જાડેજાએ શહેરના વોર્ડ નં.15માં ગોકુલનગર વિસ્તારમાં ધીરુભાઈ ઉકાભાઇના ઘરથી દશામાંના મંદિર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ 3.65 લાખ, દિનેશભાઈ મુંજપરાના ઘર પાસેથી ચામુંડા માતાજીના મંદિર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. 2.31 લાખ,ચામુંડા માતાજીના મંદિરથી આદેશ હનુમાનજી મંદિર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. 2.98 લાખ,ચનાભાઈ હરસોડાના ઘરથી ગોપાલભાઈ કોળીના ઘર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ 3.15 લાખ, ગોપાલભાઈના ઘરેથી કાનાભાઈના ઘર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. 5.12 લાખ, મારુતિનગર, શેરી નં. 2 બંધ શેરી માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. 2 લાખ, વાછરાડાડા મંદિરથી મથુરાનગર મેઇન રોડના છેડાથી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. 3.2 લાખ મળી કુલ અંદાજીત રૂ.22.41 લાખના વિવિધ વિકાસ કામોનો આરંભ કરાવ્યો હતો.
આ કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની 10% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે આ તકે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો જેનો મંત્રીએ વિવેકપુર્ણ રીતે સ્વીકાર કરી નાગરીકોની સગવડતા એ જ મહત્વનુ છે તેમ વિનમ્રતાથી જણાવ્યુ હતુ ઉલ્લેખનીય છે આ કામોના ખાતમુહુર્ત માટે તેઓ કારમા જવાના બદલે એક કાર્યકર્તાના સ્કુટરમા લીફ્ટ લઇ પાછળ બેસીને ગયા હતા અને સાદાઇ દર્શાવી જેની ભારોભાર પ્રસંશા થઇ રહી છે.