Mysamachar.in-જામનગર:
જામનગર યુથ કોંગ્રેસ અને NSUI ટીમ દ્વારા લાંબા સમયથી ઇન્ચાર્જથી ચાલતા જીલ્લા શિક્ષણાઅધિકારીને આજે ના માત્ર આવેદનપત્ર પણ કઈ રીતે ખાનગી શાળાઓ અલગ અલગ વસ્તુઓ ખરીદવાની કેવી રીતે મોડસ ઓપરેન્ડી ચાલે છે તેની વિસ્તૃત વિગતો રજુ કરી અને વિદ્યાર્થીઓને ડ્રેસ, પુસ્તકો,સ્ટેશનરી, ચોક્કસ દુકાને થી ખરીદવા અંગે દબાણ કરતી શાળાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે.પણ સરકાર દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલ આ પરિપત્રની અમલવારી ક્યારે અને કેટલી થશે તે તો શિક્ષણ વિભાગ પર નિર્ભર કરે છે.
હાલ વેકેશન ખુલી ગયા છે અને તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ થઇ ગઇ છે. પરંતુ જામનગરમાં ઘણી બધી શાળાઓ શિક્ષણની પ્રવૃતિને બદલે રીતસરનો ધંધો જ ચાલુ કર્યો હોઇ એવું દેખાઇ રહયું છે. કેમ કે શાળાઓમાં વિદ્યાર્થીઓને ડ્રેસ, પુસ્તકો, સ્ટેશનરી ચોકકસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ મોટા ભાગની શાળાઓ કરી રહી છે. નર્સરીની વિદ્યાર્થી જેની ઉંમર 4 વર્ષ કરતા પણ નાની હોય એમને પણ આવા પુસ્તકો લેવા જણાવવામાં આવે છે. ખાનગી પ્રકાશકના પુસ્તકોનો ઉપયોગ શાળામાં ના કરવાનો નિયમ છે છતાં પણ મોટા ભાગની શાળાઓ તેમનો જ ઉપયોગ કરાવે છે. કારણ કે તેમને કોઇ પણ રીતે રૂપિયા કમાવાનો ધંધો કરવો છે. જે તદન ગેરવ્યાજબી છે. અને ખાનગી પ્રકાશકના પુસ્તકોનો ઉપયોગ કરે તો જ શાળાને કમિશન મળે તે માટે શાળા ફરજિયાત પણે ખાનગી પ્રકાશકના પુસ્તકો નો ઉપયોગ કરે છે.
-શાળાઓનો ધંધો કરવાની રીત
શાળા પોતાનું કમિશન જયાં નકકી થાય એ સ્ટેશનરીની દુકાન સાથે મળી ને બુક નું લીસ્ટ ફાઇનલ કરે છે અને એમાં એક કે બે બુક એવી હોઇ કે તે શાળાએ નકકી કરેલ સ્ટેશનરી/દુકાન પર જ મળતી હોઇ બીજી દુકાનમાં એ લેવા જાઇ તો તેમાં બે ત્રણ બુક મળે જ નહિ એટલે ફરજિયાત વાલીએ ચોકકસ સ્ટેશનરી-દુકાન પર જ ખરીદી કરવા જવું પડે. અને એવું જ ડ્રેસ અને શૂઝમાં હોઇ કે ડ્રેસનો કલર અને લોગો અને ડિઝાઇન નકકી કરેલ ચોકકસ સ્ટેશનરી-દુકાનમાં જ મળે અન્ય જગ્યા એ મળે જ નહીં. અને શાળાઓમાં પૂછો તો એમ કહે કે અમે તો વાલીઓને જે જગ્યાએ થી ખરીદી કરવી હોઇ એ જ જગ્યાએ કરવા કહીએ છીએ, પરંતુ ખાનગી પ્રકાશકોના પુસ્તકો ચલાવવાની મનાઇ હોઇ તો શાળા ચલાવવા જ શું કામ જોઇએ અને આવું સેટિંગ પેહલાથી જ થઇ ગયું હોય તો અન્ય જગ્યાએ થી ડ્રેસ અને પુસ્તકો મળે પણ કર્યાં થી…
-નિયમ શું છે.
ઉપરોકત અનિયમિતતા અને ગેરરીતિ આચરતી શાળા સમક્ષ RTE-ACT-2009 ની કલમ ૧૭ અન્વયે પહેલી વાર 10,000 રૂપિયાનો દંડ અને ત્યારબાદ અનિયમિતતા દીઠ 25000 રૂપિયાના દંડ અને જો સતત પાંચ વખત અનિયમિતતા કરે તો માન્યતા રદ કરવાની કામગીરી હાથ ધરવાની જોગવાઇ છે.
-NSUI યુથ કોંગ્રેસનું શું છે માંગણી
જિલ્લા શિક્ષણ અધિકારી સંચેરી દ્વારા તમામ શાળામાં ચેકીંગ કરવામાં આવે વિદ્યાર્થીઓના બેગ ચકાસવામાં આવે અને ખરાઇ કરવામાં આવે કે ખાનગી પ્રકાશકના પુસ્તકો શાળામાં ચલાવવામાં આવે છે કે નહિં અને ચોકકસ જગ્યાએ થી જ ખરીદી કરેલ છે, કે નહિ આ બાબતે વાલીઓના પણ નિવેદન નોંધવામાં આવે અને જો આવી ગેરરીતિ કે અનિયમિતતા જણાઇ તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે.
– પરિપત્રની અમલવારી થશે કેમ તે સવાલ..?
શિક્ષણ વિભાગ ભલે ને પરિપત્ર બહાર પાડે અને જીલ્લા શિક્ષણાધિકારીઓને તેની અમ્વ્લારી કરવા કહે પણ ખાનગી શાળાઓએ આદરેલી લૂંટ સામે પોતાના બાળકોના ભવિષ્યને લઈને વાલીઓ લાચાર બનીને શાળા કહે તેમ કરવા મજબુર બને છે, તો પરિપત્રનો અમલ શિક્ષણાધિકારી કચેરી કરાવી અને દાખલો બેસાડી શકશે કે કેમ તે પણ સવાલ છે.