Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગતમંદિર પ્રત્યે શ્રદ્ધાળુઓની ખુબ મોટી આસ્થા હોવાને કારણે અહી શ્રદ્ધાળુઓ અહી દરરોજ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી છે, અને મંદિરની સુરક્ષા સઘન હોવાના દાવાઓ તો અનેક કરવામાં આવતા હોય છે, પણ આ દાવાઓ વચ્ચે ખિસ્સાકાતરુ મંદિરની અંદર કળા કરી જાય તો કેવું કહેવાય…? આવી જ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં દ્વારકાના જ વેપારી અતુલ ચંદ્કાંત દવે મંદિર અંદર દર્શન કરવા માટે ગયા હતા, તે દરમ્યાન તેના પેન્ટના ખીસ્સામા એક મરૂન કલરના પાકીટમાં રોકડા રૂ. 4200/- તથા આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ તથા વીઝીટીંગ કાર્ડ પાકીટ સહીત કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ દ્વારકા પોલીસમથકમાં નોંધાઈ છે.