Mysamachar.in-જામનગર
કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલ લોકડાઉનને કારણે કેટલાય ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા, અને તેને કારણે આર્થિક સંકડામણ અનુભવતા કેટલાય લોકોએ અન્ય કોઈ માર્ગ ના મળતા આપઘાત કર્યાના કિસ્સાઓ અલગ અલગ જીલ્લાઓમાં થી સામે આવતા રહે છે, એવામાં જામનગર જીલ્લાના સિક્કા ગામે આવેલ ભગવતી કોલોનીમાં વસવાટ કરતા કુલદીપસિંહ પથુભા રાઠોડ નામના 38 વર્ષીય વ્યક્તિએ લોકડાઉન સમયથી પોતાનો કામધંધો બરોબર ચાલતો ન હોય અને ઘરની નબળી આર્થીક પરિસ્થીતી ના સંકળામણના કારણે પોતે થોડા દિવસો પૂર્વે પોતાના જ ઘરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન ગઈકાલે તેને અંતિમ શ્વાસ લીધાનું સિક્કા પોલીસ ચોપડે જાહેર થયું છે.