Mysamachar.in-જામનગર:
આજરોજ જામનગર કલેકટર કચેરી ખાતે આગામી ચોમાસાની ૠતુમાં સંભવત: ભારે વરસાદ, વાવાઝોડાની પરિસ્થિતિ માટે સાવચેતીરૂપે પગલાં લેવા તૈયારીઓ અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી ચોમાસુ- ૨૦૨૦ દરમ્યાન અચાનક વધુ વરસાદ આવે ત્યારે શું તકેદારી રાખવી, તે ઉપરાંત જામનગર જિલ્લામાંથી પસાર થતી વિવિધ નદીઓમાં અચાનક પાણીની માત્રા વધે ત્યારે શું તેકદારી રાખવી, તમામ ગામોમાં સુરક્ષાવાળા સ્થળો નક્કી કરવા, તરવૈયાઓની યાદીતૈયારકરવી, ફાયરબ્રિગેડનીતૈયારીઓ, ઇમરજન્સી સંપર્કનંબર, નિચાણવાળા ગામો, આવશ્યકતા સમયે આશ્રયસ્થાનો, આશ્રયસ્થાનોના સેનીટાઇઝેશન જેવી વિવિધ બાબતોની ચર્ચા કરવામાંઆવી હતી.
આ બેઠકમાં તાલુકા સ્તરેપણ ચોક્કસાઇપૂર્ણ આયોજન થઇ શકે તેમજ કોવિડને ધ્યાને રાખીને ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જોડિયા વગેરેના તાલુકા સ્તરના અધિકારીઓને વિડિયો કોંફરન્સ મારફત જોડવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, નાયબ વનસંરક્ષક અધિકારી વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.