Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં વસવાટ કરતા હિતેશ પરમાર નામના મેડીકલ સ્ટોર સંચાલકે પરમદિવસ રાતે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લેવાના મામલામાં પરિવારજનોની ગઈકાલે એસ.પી. ને રજૂઆત બાદ ગતસાંજે સી ડીવીઝનમાં સુસાઈડ નોટ આધારે બિલ્ડર રમણભાઈ મોરઝરિયા અને કનુબોસ સામે કલમ 306 મુજબ ગુન્હો નોંધાયાના ગણતરીની કલાકોમાં બન્ને બિલ્ડરો આજે પોતાનો પક્ષ રાખવા સામેથી જ એસ.પી.કચેરી ખાતે આ મામલામાં સત્ય શું છે તેની રજૂઆત અર્થે પહોચ્યા હતા, જો કે એસ.પી.એ મુલાકાત આપી નથી, બન્ને બિલ્ડરોએ પોતાની રજૂઆત મીડિયા સમક્ષ કરી અને સત્ય શું છે તેની તટસ્થ તપાસ થાય તેમ જણાવ્યું હતું. વિડીયો જોવા ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો.