Mysamachar.in-જામનગર:
જુદા-જુદા સરકારી વિભાગોમા અમુક પેધી ગયેલા કર્મચારીઓને બખ્ખા છે કેમ કે કાં તો તેમની સામે અરજદારો ફરિયાદ કરે તો ગંભીરતાથી લેવાતી નથી એથી વધુ ગંભીર બાબત એ છે કે ખાતાકીય તપાસના કેસોની તપાસમા ઇરાદાપુર્વક વિલંબ થતો હોય જેની સામે તપાસ બાકી હોય તે વધુ પેધી જાય છે,જિલ્લાપંચાયત,પીજીવીસીએલ,પીડબલ્યુડી,કોર્પોરેશન વગેરે વિભાગોમા ખાતાકિય તપાસો લાંબા સમયથી પેન્ડીંગ છે જે પુરી થતી જ નથી આવા તો અનેક વિભાગોમા શિથીલતાના કારણે કર્મચારીઓ પેધી જાય છે
-વિગતો છુપાવતુ સિંચાઇ અને પા.પૂ.
ખાતાકીય તપાસ જેવા ગંભીર મામલે સરકારમા વિગત પુરી પાડવાની બાબતે સિંચાઇ અને પાણી પૂરવઠા બોર્ડ તો વિગતો જ છુપાવે છે,જેમ વિજીલન્સ મીટીંગ માટે માર્ગમકાન વિભાગ લાંબા સમય સુધી અધિકૃત ફોલ્ડર ન.મોકલતુ તેવી જ ઇરાદાપુર્વકની બેદરકારી આ બે વિભાગની વધુ છે
-વન વિભાગ તો સૌથી ચડીયાતુ
વન વિભાગ તો શુ કામ કરે છે તે જ પ્રજાજનો ને ખબર નથી પડતી…વાછટની જેમ વર્ષે કે બે વર્ષે ઝળકતુ આ તંત્ર એવુ બેદરકાર છે કે લોકોની અરજીઓના ઢગલા ભેગા થયાનુ નોંધાયુ છે,છતા અભિપ્રાય આપવા,જવાબ આપવા,ઉકેલ લાવવા સહિત તમામ મામલે ગતિશીલ ગુજરાત અને સંવેદનશીલ સરકારના સુત્રોના છેદ ઉડાડતા હોય તેવી શિથીલતા આ વિભાગની છે,તેમાય પેધી ગયેલા કર્મચારીઓનો સિંહફાળો છે.