Mysamachar.in:જામનગર
શહેરમાં કોરોના ની ત્રીજી લહેર પ્રસરી ચૂકી છે, અને દિનપ્રતિદિન કોરોનાના કેસ વધતા જતા હોવાથી મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની ટુકડી દ્વારા શહેરના ભીડભાડ આ વિસ્તાર વાળા વિસ્તારોમાં કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે.જેના ભાગરૂપે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજાર કે જેમાં કોરોના ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, અને ખરીદી કરવા માટે આવનારા લોકો તેમજ ફેરિયાઓ સહિત 110 થી વધુ લોકોના કોરોના ના સેમ્પલો લઈ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તે જ વિસ્તારમાં સાંજે ભરાતી શાક માર્કેટ કે જેમાં પણ કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 34 જેટલા સૅમ્પલો લેવામાં આવ્યા હતા, અને લેબોરેટરીમાં મોકલાયા છે. આ ઉપરાંત શહેરના જુદા-જુદા ભીડવાળા વિસ્તારોમાં કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેમાં એસ્ટેટ શાખાને પણ મદદ લેવાઈ રહી છે
જામનગર શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન જળવાયેલું રહે, તેમજ લોકો માસ્ક પહેર્યા વિના નીકળે નહીં તે માટે છેલ્લા એક અઠવાડિયાથી જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી ૬ ટુકડીઓ દોડધામ કરી રહી છે, અને એક સપ્તાહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા 68 લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂપિયા 29 હજારનો દંડ વસૂલાયો છે. તે જ રીતે માસ્ક પહેર્યા વિના નીકળેલા લોકો સામે પણ દંડકીય શસ્ત્ર ઉગામ્યું છે, અને તેઓ પાસેથી રૂપિયા 47 હજારનો દંડ વસૂલાયો છે. સમગ્ર શહેરમાં સપ્તાહ દરમિયાન કુલ 115 કેસ કરાયા છે, જ્યારે રૂપિયા 76 હજારના દંડની વસુલાત કરાઇ છે. જે કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.લોકમુખે એવી ચર્ચાઓ ચાલી રહી છે એસ્ટેટ વિભાગના કેટલાક બહાદુર અને અન્ય વિભાગના પણ પોતાને મોટા ઓફિસર ગણાવતા હોય તેવા કર્મચારીઓ વેપારીઓ પાસે દંડ વસુલાત કરવા જાય છે કે દાટી મારતા હોય તેવું ફોટો સેશન કરાવે છે અને બાદમાં મીડિયામાં વાઈરલ થાય તેવી ભલામણો પણ કરે છે.જે કેટલું યોગ્ય.?
-માસ્કના દંડ સામાન્ય લોકોને 1000 જયારે લાગવગ વાપરે તેણે 500.??
જામનગર મનપાની ટીમો જયારે દુકાને દુકાને ફરી અને માસ્ક ના પહેર્યા હોય તેનો દંડ ઉઘરાવે છે તેમાં ભેદભાવની નીતિ ચાલતી હોવાના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા છે, જેમાં સ્ટાફ પર જે લોકો દબાણ લાવે કે લાગવગ વાપરે તેને 500 રૂપિયાની પહોચ જયારે લાગવગ વગર ના બિચારા જેની રોજની આવક પણ 1000 નથી તેની પાસેથી આ બહાદુર ટીમ પરાણે 1000 ની પહોચ બનાવ છે તેવા એક બે દ્રષ્ટાંત સાથેના ફોટો પણ તાજેતરના સોશ્યલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે જેની ઉચ્ચ અધિકારીઓએ ખરાઈ કરાવી અને આવા સ્ટાફને પણ સબક મળે તેવું કરવું જોઈએ કારણ કે નિયમ બધા માટે સમાન શા માટે નહી તેવો નાગરિકોનો પ્રશ્ન પણ છે.