Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જામનગર રાજકોટ હાઈવે પર આવેલ ફલ્લા ગામની સીમમાં આવેલ વાડીમાં ગત 17 મે ના મોડી રાત્રીના ટીડાભાઇ બાંભવા ભરવાડ તેઓની વાડીએ પશુ તથા પાકનુ રખોપું કરવા માટે ગયેલ હોય, અને રાત્રીના વાડીમા સૂતા હોય ત્યારે કોઇ અજાણ્યા ઇસમો લૂંટ કરવાના માટે ફરીયાદીની વાડીમાં પ્રવેશ કરી ટીડાભાઇ બાંભવાને માથામાં શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ કરી ટીડાભાઇ બાંભવાએ કાનમાં પહેરેલ સોનાના દાગીના આશરે એક તોલા તથા કુલ રૂપીયા 60,000 ની લુંટ કરી નાશી જઇ ગુનો કરેલ આ ગુન્હાનો ભેદ ઉકેલવા જામનગર એલસીબીની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને અંતે સફળતા મળી છે અને લુંટ અને હુમલાને અંજામ આપનાર ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
જામનગર એલસીબી પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ અને પીએસઆઈ આર.બી.ગોજીયા તેમજ પંચ એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફની અલગ અલગ ટીમો કાર્યરત કરી, બનાવી સ્થળ મુલાકાત લઇ તેમજ સ્ટાફના નિર્મળસિંહ એસ. જાડેજા તથા બળવંતસિંહ પરમાર દ્વારા ટેકનીકલ સર્વેલન્સ મારફતે ઝીણવટભરી રીતે વર્ક આઉટ કરવામાં આવેલ જે બાદ ટીમો દ્વારા અલગ અલગ દિશામા તપાસ ચાલુ હતી,જે દરમ્યાન એલ.સી.બી.ના વનરાજ મકવાણા તથા સંજયસિંહ વાળા,તથા કિશોર પરમારને મળેલ બાતમી હકિકત આધારે આ લૂંટમા સંડોવાયેલ ત્રણ ઇસમો પૈકી 2 ઇસમો તેઓના વતન અલીરાજપૂર મધ્યપ્રદેશ રાજય મા જતા રહેલ હોવાની માહિતી આધારે અલિરાજપૂર (મધ્યપ્રદેશ) મુકામેથી બે ઇસમો જેમાં નિલેશ ભદનભાઇ વાસકેલા રહે.ફુરતળાવગામ મનાસિયા ફળીયા થાના બોરી તા.જોબટ, જી અલીરાજપુર અને સનીયા ઉર્ફે સુનીલ ભદનભાઇ વાસકેલા રહે. ફુર તળાવગામ મનાસિયા ફળીયા થાના બોરી તા.જોબટ, જી અલીરાજપુર વાળાને પકડી પાડેલ છે.
તેમજ અન્ય ટીમે જામનગર તાલુકાના રણજીતપર ગામની સીમમાંથી આ લુંટ અને હુમલામાં સંડોવાયેલ નારૂ ભદનભાઇ વાસકેલા રહે,કુર તળાવગામ મનાસિયા ફળીયા ઘાના -બોરી તા.જોબટ, જી અલીરાજપુરને ઝડપી પાડવામાં આવેલ છેઉપરોકત ત્રણેય ઇસમોને ઝડપી પાડી પંચ એ ડીવી પોલીસ મથકને સોંપી આપવામાં આવેલ છે.ઝડપાયેલા આરોપી નારૂ વાસકેલા જેઓ રણજીતપર ગામે ખેત મજૂરી કામ કરતા હોય જેથી તેઓ અવાર નવાર વાડીએ મજૂરી જતા હોય તેમજ ઇજા પામનાર રાત્રીના વાડી સૂતા હોવાની જાણકારી હોય જેથી આરોપીઓએ લાકડા ધોકા, લાકડી જેવા હથિયાર ધારણ કરી, ટીડાભાઇ બાંભવા ભરવાડને શરીરે ઇજા કરી લૂંટ ચલાવી ગૂનાને અંજામ આપેલ હતો.