Mysamachar.in-જામનગર
જામનગર એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે શંકરટેકરી, શાસ્ત્રીનગરમાં વસવાટ કરતો ભીમશી ધરણાતભાઈ આંબલીયા નામના શખ્સ પાસે ગેરકાયદેસર પિસ્તોલ છે, જે અંગે એલસીબી સ્ટાફે વોચ ગોઠવી ગતસાંજના સમયે 49 દિગ્વિજય પ્લોટમાં આવેલ સોનલ માતાજીના મંદિર નજીક થી બ્રેઝા કાર લઈને પસાર થઇ રહ્યો હતો ત્યારે એલસીબીએ જે રીતે બાતમી મળી હતી તે મુજબ કાર અટકાવી તપાસ કરતા ભીમશી આંબલીયાના કબ્જામાંથી પરવાના વગરની દેશી બનાવટની એક પિસ્તોલ, એક તમંચો અને અલગ અલગ પ્રકારના કારતુસ સહીત એક કાર સહીત 4.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભીમશી આંબલીયાને હથીયાર સપ્લાય કરનાર શશાંકસિંગ ઉર્ફે લડુસિંગ ઠાકુર, યુ.પી અને અભિષેકસિંગ રાજપૂત ને ફરાર દર્શાવવામાં આવ્યા છે.