Mysamachar.in-જામનગર
જામનગર આમ જોઇએ તો સૌરાષ્ટ્રમા આગવુ સ્થાન ધરાવતુ શહેર છે આ શહેરને રંગરૂપ ટાપટીપ અને સજાવટ કરવી હોય શહેરમા ઉડીને આંખે વળગે તેવી કાયમી સુવિધાઓ કરવાની જવાબદારી કોર્પોરેશનના પ્રોજેક્ટ પ્લાનીંગ વિભાગની છે અને સમીક્ષકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા વર્ષોમાં આ વિભાગે જે કાર્યો કર્યા છે, તેથી લોકોની સુખ સુવિધા વધી છે તેવી જ રીતે જેને ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય તેવા ફ્લાય ઓવરનુ આજે ખાતમહુર્ત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ ખાસ નોંધ લઇ સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રીજ ગણાવ્યો તે વખતે પ્રોજેક્ટ પ્લાનીંગના અધીકારીની જહેમતને ચાર ચાંદ લાગ્યા તેમ કહી શકાય કેમકે એક વખતનુ સૌરાષ્ટ્રનુ પેરિસ ગણાતુ જામનગર ફરીએ હરોળમા આ વિભાગની મહેનતથી સ્થાન પામી રહ્યુ છે તેમ જાણકારોનો અભિપ્રાય મળ્યો છે.
જામનગર શહેરમાં નવનિર્મિત થનારા રૂ.198 કરોડના ફલાયઓવર સહીત શહેર અને જીલ્લાના વિવિધ વિભાગઓના રૂ.578 કરોડમાં વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ મુખ્યમંત્રીના હસ્તે યોજાયા તેમાં આ ફ્લાયઓવર જામનગરની આગવી ઓળખ બનાવનાર પ્રોજેક્ટ ગણાય છે કેમકે ખુદ મુખ્યમંત્રીએ આ બ્રીજનુ મહત્વ જણાવી સૌરાષ્ટ્રનો સૌથી મોટો બ્રીજ ગણાવતા કોર્પોરેશન ના પ્રોજેક્ટ પ્લાનીગની મહેનત સફળ થઇ છે સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી ઈન્દીરા ગાંધી માર્ગ ઉપર ચાર માર્ગીય એલીવે ટેડ ફ્લાય ઓવર બ્રીજ બનાવવાનું કામ 3.4 કિ.મી.નુ છે. જે 198 કરોડના ખર્ચે થશે અને અંકલેશ્ર્વરની પાર્ટી રચના કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામા આવશે.
ટેકનીકલ અને વ્યવહારૂ મહત્વથી જોઇએ તો ઈન્દિરા ગાંધી માર્ગ શહેરનો સૌથી વિકસીત તથા લાંબો આર્થિક ધોરી માર્ગ છે. સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી આ માર્ગ આશરે 3.4 કી.મી.ની લંબાઈ ધરાવે છે. તથા 30 મી.ની પહોળાઈ ધરાવે છે.સૌથી અગત્યતા કોમર્શીયલ સેન્ટરો, હોસ્પિટલ, ઓફિસ કોમ્પલેક્ષ વગેર આ રસ્તા પર આવેલા છે.તેના ઉપર આવેલા જંકશનો જેવા કે અંબર સિનેમા સર્કલ, ગુરૂદ્વારા સર્કલ, નર્મદા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સવાર-સાંજના પીક અવર્સ દરમ્યાન જોવા મળે છે.
માટે ફ્લાય ઓવર બ્રીજની રચના કરવાથી સુભાષબ્રીજ બાજુથી પ્રવેશતા વાહનો દવારકા રોડ તથા જી.આઈ.ડી.સી. રોડ તરફ કોઈપણ અડચણ વગર, ઝડપથી અને સલામતી પૂર્વક આઈ.જી. રોડ ઉપર જઈ શકશે માટે આ તમામ જંકશનો પાર કરતો તેમજ સાત રસ્તા સર્કલ પાર કરતો ફલાય ઓવર બાંધવાની જરૂરીયાત હતી તે અંતે મંજુર થઇ છે.
– ઉપયોગીતા તથા ટિકનીકલ ડીટેઈલ
– ફલાય ઓવર બ્રીજની કુલ લંબાઈ 3450 મીટર
– બ્રીજની કલીયર ઉંચાઈ નાગનાથ ગેઈટ જંકશન પાસે 4 મીટર તથા તે સિવાયના જંકશન પર 5.30 મીટર
– ઈન્દિરા માર્ગ ઉપર પ્રપોઝડ ફોર લેન ફ્લાય ઓવર બ્રીજની પહોળાઈ 15 મીટરની રહેશે. તથા બન્ને બાજુ એમ.એસ. કેરસ બેરીયર
– અંબર જંકશન પાસે પી. એન. માર્ગ પરથી આવતા ટ્રાફિકને ડાયરેકટ રાજકોટ થવા માટે ટુ-લેન 7.50 મીટર પહોળાઈનો એપ્રોચ આપવામાં આવશે
– સાત રસ્તા સર્કલ પાસે ખંભાળીયા-દ્વારકાને જોડતા રસ્તા તરફ ટુ-લેન 7.50 મીટર પહોળાઈનો એપ્રોચ આપવામાં આવશે
– ખંભાળીયા-દ્વારકા તરફથી આવતા ટ્રાફિકને રાજકોટ જવા માટે ડાયરેક્ટ ફલાય ઓવર બ્રીજમાં એન્ટ્રી મળી રહેશે જેથી ટ્રાફિક નિયમનમાં સરળતા રહશે
– ઈન્દિરા માર્ગ જી.આઈ.ડી.સી.ને જોડતા રસ્તા તરફ 7.50 મીટર પહોળાઈનો ટુ-લેન એપ્રોચ આપવામાંઆવશે.
– ફલાય ઓવર બ્રીજની બન્ને બાજુ 6 મીટરનો સર્વિસ રોડ આપવામાં આવશે.
– આ બ્રીજ મંજુર થતા વિભાગનુ પણ સ્વપ્નુ થયુ સાકાર
આ ફ્લાયઓવર બ્રીજ મંજુર થતા પ્રોજેક્ટ પ્લાનીંગ વિભાગનુ પણ સપનુ સાકાર થયુ કેમકે કાર્યપાલક ઇજનેર ભાવેશ જાની એ જે તે વખતે પણ વિગત આપતા જણાવેલુ કે સરકાર સાથે સંકલન કરતા તત્કાલીન પદાધિકારીઓ, કમિશ્નર, અને ઉચ્ચ અધિકારીઓએ સતત અમારા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગને માર્ગદર્શન આપ્યું જેને કારણે જામનગરમાં ફ્લાયઓવર આકાર પામશે… અને અમારી શાખાને પણ નગરજનોને એવુ કઇક આપવુ હતુ જે કાયમી ભેટ સમાન અને કાયમી સગવડતા સમાન તો હોય સાથે જ જામનગરને બીજા શહેરથી વધુ નોંધપાત્ર બનાવી શકે માટે આ સપનુ સાકાર થયાનો આનંદ છે
જામનગરમા ઓવરબ્રીજ અંડરબ્રીજ આસ્ફાલ્ટ રોડ વગેરે માટે અવિરત કાર્યરત એવી કોર્પોરેશનની પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાની જહેમતથી અને રાજ્યના મુખ્યમંત્રીએ મંજુરી આપી ખાતમુહુર્ત કરતા આગામી દિવસોમા ઇંદીરા માર્ગ ઉપર નગરને ફ્લાય ઓવરની ભેંટ મળશે આ ભેંટ મળવાની સાથે મહત્વકાંક્ષી પ્રથમ ફ્લાય ઓવર પ્રોજેક્ટની ભેંટ સાથે ઇજનેરી કૌશલ્યનો ઉતમ નમુનો હાલારમા પ્રથમ વખત વિશિષ્ટ સ્વરૂપે જોવા મળશે કેમકે રોજના હજારો વાહનો જે વિક્ટોરીયા પુલથી સીધા ઉદ્યોગનગર કે દીગ્જમ સર્કલ કે સમર્પણ તરફ જવા માંગે છે તે સીધા જ ફ્લાય ઓવર પરથી પસાર થનાર હોઇ શહેરના ઇન્દીરા માર્ગ ઉપર ટ્રાફીક નુ ભારણ ઘટશે ત્યારે આ સળંગ ફ્લાય ઓવર પોતે જોવાલાયક બાંધકામ બની રહેશે કેમકે રોડ ની ઉપર સમાંતર રોડ નગરમા પ્રથમ વખત બને છે
મહત્વની બાબત એ છે કે આવા વિકાસ કામોથી નગરની એક આગવી ઓળખ બને છે જે અંગે કાર્યપાલક ઇજનેર ભાવેશ જાનીના જણાવ્યા મુજબ જેમ ફ્લાય ઓવર નગર માટે એક ભેંટ સમાન બનશે અને ટ્રાફીક માટે રાહત થશે તેમ એ બાંધકામ ઉતમ નમુના સ્વરૂપ હશે…ફ્લાય ઓવરની મજબુતાઇ ત્યા સુધી રાખવાની કે રોજના દસ હજારથી વધુ વાહનો હેવી કે મીડીયમ પસાર થાય તો પણ તેની મજબુતાઇ અડીખમ રહે સમગ્ર પણે આરસીસી પીલર પર બ્રીજ તેમજ તે માટે નુ તમામ ટકોરાબંધ મટીરીયલનો ઉપયોગ કરી નિષ્ણાંતને કામ આપી દેખરેખ કરવી આ બધુ જ અમારા માટે મહત્વનુ છે તેમ પણ ઉમેર્યુ હતુ.