Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનની જનરલ બોર્ડમા ખરેખર દર વખતે બધડાટી બોલે જ છે, અને પ્રજા પ્રશ્નોની રજુઆત થાય છે જોકે સ્ફોટક બાબતો તો માત્ર વિરોધપક્ષના નેતા અને ત્રણ ચાર સભ્યો જ ખરેખર અવાજ ઉઠાવે છે તેવુ જ તાજેતરની જનરલ બોર્ડમા થયુ જેમા શાસકો મોટા બિલ્ડરોના લાભ માટે થઇ પ્રજાની જાહેર સુવિધા ઝુંટવે છે તેવા સણસણતા આક્ષેપ થયા હતા
લાલપુર બાયપાસ પાસે સ્મશાન બનાવાનુ છે તેવુ કોર્પોરેશને જ નક્કી કર્યુ હતુ બાદમા શુ થયુ કે તે મામલો પડતો મુકી દેવાયો દરમ્યાન હાલ રોગચાળાની સ્થિતિ એવી દારૂણ છે કે મૃત્યુદર ચિંતાજનક રીતે વધ્યો છે ત્યારે શહેરમા હાલ ત્રીજા સ્મશાનની તાતી જરૂર છે, કેમકે મૃતદેહો વેઇટીંગમા હોય છે આ બાબતની ગંભીરતા લઇ વિપક્ષના કોર્પોરેટર દેવશી આહીરે નગરયાત્રા કરી ત્રીજા સ્મશાનના મામલે પ્રબળ માંગ કરી હતી જોકે શાસકોએ કોઇ પ્રતિસાદ આપ્યો ન હતો.
પ્રજાના આ ગંભીર પ્રશ્ન અંગે વિપક્ષના નેતા અલ્તાફ ખફી આક્રમક મુડમા આવી ગયા અને તેમને જનરલ બોર્ડ વખતે સણસણતા આક્ષેપ કર્યા કે લાલપુર બાયપાસ પાસે જ્યા સ્મશાન બનાવાનુ હતુ ત્યા હવે કોર્પોરેશન એટલા માટે સ્મશાન નથી બનાવતુ કારણ કે ત્યા આજુબાજુ મોટા બીલ્ડરોની જમીન આવેલી છે અને ત્યા સ્મશાન બને તો તે બિલ્ડરોની જમીનના ભાવ ગબડી જાય તેમ છે,
આ આક્ષેપથી જનરલ બોર્ડમા સન્નાટો વ્યાપી ગયો હતો અને જોવાનુ એ છે કે શાસકો ઉઠતી બજારેય પ્રજાલક્ષી કામો કરતા જાય છે કે આક્ષેપ સાંભળી બેસી રહે છે, જોકે આ મામલે શાસક સાઇડ થી ટેકનીકલ કારણ ગાડા માર્ગનુ હોઇ ત્યા સ્મશાન ન બને તેવુ જાહેર કરાયુ છે જે નવા જીડીસીઆર મુજબ શક્ય નથી.