Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકાર લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે વાર્ષિક કરોડોનો ખર્ચ કરે છે, અને તેમાં પણ આયુર્વેદ ક્ષેત્રમાં પણ લોકોને વધુને વધુ સુવિધાઓ અને સારવાર માટે મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે,પણ જામનગર જીલ્લા પંચાયત હેઠળના આયુર્વેદ વિભાગ હેઠળ આવતી જોડીયામાં આયુર્વેદ હોસ્પીટલ કાર્યરત છે, પણ તેમાં પંચકર્મ અને શિરોધારા જેવી સેવા છેલ્લા કેટલાક સમયથી ઠપ્પ થઇ ગઈ હોવાનું જાણવા મળે છે,
જામનગર જીલ્લાના છેવાડાના તાલુકા એવા જોડીયામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આવેલ છે, આ હોસ્પીટલમાં પ્રવેશતાની સાથે જ પંચકર્મના ફાયદાઓ વર્ણવતા ચિત્રો અને સાધન સામગ્રી જોવા મળે, સ્વાભાવિક હોસ્પિટલ હોય ત્યાં સારવાર થતી જ હોય..પણ પંચકર્મ પદ્ધતિની સારવાર એ ખુબ મહત્વની સારવાર આયુર્વેદમાં માનવામાં આવે છે, આ હોસ્પીટલમાં પણ આ તમામ સાધન સુવિધાઓ હોવા છતાં પણ આસપાસના કેટલાક ગ્રામજનોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાય સમયથી અહી આવી કોઈ સારવાર થતી જ નથી તેવા આક્ષેપો થઇ રહ્યા છે. અને કોરોનાના સમયમાં અને હાલમાં પંચકર્મ માત્ર કાગળ પર જ થતા હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે.જો કે આ બાબત તપાસ માંગી લેતી છે.સરકારનો ઉદ્દેશ આ આયુર્વેદિક હોસ્પિટલને લઈને ક્યાંક ને ક્યાંક માર્યો જઈ રહ્યો તેમ પણ લાગે છે, કારણ કે અમુક સાધન સામગ્રી અને સ્ટાફની ઘટ અને માત્ર સરકારી ચોપડે દેખાડવાની જ હાલના સ્ટાફની કામગીરી ટીકાને પાત્ર બની છે,.
-શું કહે છે જીલ્લા આયુર્વેદ અધિકારી ડો.સંજય મોઢા
આ અંગે જોડિયા આયુર્વેદ હોસ્પીટલના તબીબ અને જીલ્લા આયુર્વેદ અધિકારી ડો.સંજય મોઢાની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ હોસ્પીટલમાં શિરોધારા કે પંચકર્મની સારવાર છેલ્લા કેટલાક સમયથી થતી જ નથી તે વાતનો સ્વીકાર કરતા કહ્યું કે આ હોસ્પીટલમાં આ ટ્રીટમેન્ટ કરનાર પટ્ટાવાળાનું કેન્સરની બીમારીથી મોત થતા આ પંચકર્મ કે ન થતા હોવાનો સ્વીકાર કર્યો, અને હાલનો સ્ટાફ જેને થોડુંઘણું આવડે છે તેમ અમે સારું કરવાનો પ્રયાસ કરીએ છીએ
જીલ્લા આયુર્વેદ અધિકારીએ હોસ્પિટલનો લોકો ખુબ ફાયદો લઇ રહ્યા હોવાની વાત પણ કરી..પણ સાથે પંચકર્મ જેને જરૂર હોય તે ના થઇ રહ્યાની વાતનો સ્વીકાર પણ કર્યો આમ ભલે તે બે જુદી-જુદી બાબતો એકસાથે વર્ણવે પરંતુ વાસ્તવિકતા કઈક જુદી હોય તેમ લાગે છે, એવામાં ફરી કોરોના માથું ઊંચકી રહ્યો છે, તેવા સમયગાળામાં આયુર્વેદનું મહત્વ સરકાર વારંવાર સમજાવી રહી છે ત્યારે અહી તો માત્ર કાગળ પર જ બધું બરોબર હોય તેવી વાતો વચ્ચે આ બાબત તપાસ માંગી લેતી અને વ્યવસ્થાઓમાં જરૂરી સુધારા માંગી લેતી હોય તેમ જાણવા મળે છે.