Mysamachar.in-જામનગર
ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 જે રીતે શક્યતા જોવાતી હતી તે જ રીતની રહેવા પામી અને પરીણામો એ તો વિશ્લેષકોને ચિંતન કરવા મજબુર કરી દીધા કેમકે અનેક પાસાઓ એવા બનવા પામ્યા કે જેની નોંધ લેવી ઘટે તેવુ જ ઉદાહરણ 77-જામનગર ગ્રામ્ય બેઠક ઉપર વિજેતા થયેલા પુર્વ કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઇ પટેલનુ છે,
લોકો માટે ખંતીલા નેતાની છાપ ધરાવતા રાઘવજીભાઇ પટેલ સમગ્ર જિલ્લામા એટલે કે જામનગરથી જોડીયા સુધી એકધારા લોકપ્રિય છે અને મહત્વનો મુદો એ છે કે તેમનો કૃષિમંત્રી તરીકેનો ભવ્ય વિજય થતા કૃષિમંત્રી ફરી નથી ચૂંટાતા તેવું મ્હેણુ ભાંગ્યુ છે, બાકી ચર્ચાઓ એવી ચાલતી હતી કે કૃષિમંત્રી હોય તેની ચુંટણીમાં હાર થાય છે તે મહેણાંને ખોટું પાડી રાઘવજી પટેલે સાબિત કરી દીધું કે લોકો વચ્ચે રહી લોકોના કામ કરીએ તો સામે ફરીફ ઉમેદવારો ગમે તેટલા હોય પ્રજા હમેશા તેમના માટે ખડેપગે રહેનાર નેતાને જ ચૂંટે છે, અને રાઘવજી પટેલે તે સાબિત કરી બતાવ્યું છે,
આ જીત એ ગામડાઓમા ખુશી હોવાનુ તેમણે જણાવી આ વિજય સૌ ગ્રામજનોને અર્પણ કર્યો હતો અને આગામી સમયમાં પણ તેવો જામનગર ગ્રામ્ય સહિતના વિસ્તારો માટે જે કાઈ કરવાનું થતું હશે તે કરીને જ રહેશે તેવો વિશ્વાસ પણ “માય સમાચાર” સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો.
રાઘવજી પટેલને કૃષિમંત્રી તરીકે આ વખતે કામ કરવાનો સમય ઓછો મળ્યો પરંતુ તેમણે રાત દિવસ એક કર્યા હતા તેમના સ્ટાફને પણ ઉત્સાહ વધે મંત્રી તરીકે સચિવાલયમા કૃષિ વિભાગ પશુપાલન ગૌ સંવર્ધન એમ દરેક વિભાગ ધમધમતા અને સૌ ખુશી ખુશી કામ કરતા હતા આ ઉપરાંત પ્રજાજનોને ખાસ કરીને ગ્રામજનોને તેમાય ખેડૂતોને શુ જોઇએ છે તે બાબતના નિપુણ હોઇ જરૂરી દરખાસ્ત સુચન વગેરે સરકારમા મીટીંગમા મુકી લોકહિતમા કાર્યો સહાય યોજનાઓ મંજુર કરાવતા રહ્યા બાદમા તેના અમલની કાળજી લીધી અને ગામડે ગામડે સૌને પુછતા રહેતા..આવા અનેક મુદાઓ છે કે જેથી રાઘવજીભાઇની લોકપ્રિયતા વધતી જ રહી છે,
ખેતીને લગત તમામ બાબતો બિયારણ એટલેકે વાવણીથી વેંચાણ સુધીની ચિંતા તો કરતા જ સાથે ગ્રામજનોને માટે પણ પાણી વિજળી આરોગ્ય શિક્ષણ રોડ કોઝવે સિંચાઇ સહિત દરેક સુવિધાઓ કરાવતા રહ્યા હોય તેમના કામ બોલે છે, માટે જ જ્યારે ઉમેદવાર તરીકે તેમની પસંદગી થઇ ત્યારે લોકોના અભિપ્રાય હતા જ કે રાઘવજીભાઇ જંગી બહુમતીથી જીતશે અને રીઝલ્ટ પણ એ મુજબ જ આવ્યુ છે, જામનગરની બેઠકથી માંડી સૌરાષ્ટ્રની ઘણી બેઠકો ઉપર કોઇપણ કૃષિમંત્રી એ જ બેઠક ઉપરથી બીજી વખત જીત્યા નથી તેવા અમુક ઉદાહરણો છે ત્યારે રાઘવજીભાઇ કૃષિમંત્રી હતા ને આ જ બેઠક ઉપરથી ફરીથી જીત્યા છે કારણે ગ્રામ્ય જીવનના અનુભવી અને ખેડૂત એવા રાઘવજી પટેલ સાચા જનપ્રતિનિધી તરીકેની સેવાની પ્રજાએ જબ્બર નોંધ લીધી તેવું સાબિત થયું છે.અને આ બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ તો આપ પણ ક્યાય ફેકાઈ ગયું તો અન્ય અપક્ષો પણ કાઈ ખાસ ઉકાળી શક્યા નથી અને રાઘવજીભાઈને વધુ એક વખત જીત મળી છે.