Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના વર્ષ 17/18 અને 18/19 ના ઓડીટ અહેવાલ પર નજર કરવામાં આવે તો એકાઉન્ટ શાખાની ગંભીર બેદરકારીઓ રેકર્ડ પર છતી થઇ રહી હોય જવાબદારો શું કરે છે.? તે સવાલ સ્વાભાવિક જ ઉઠવા પામે છે, વર્ષ 18/19 ના ઓડીટ અહેવાલમાં લખ્યું છે કે એકાઉન્ટ શાખા દ્વારા વારંવાર પત્ર રીમાઈન્ડર કે આખરી યાદી પત્ર દ્વારા વારંવાર માંગવા છતાં એકાઉન્ટ શાખા દ્વારા ઓડીટ અહેવાલ સબંધેની માહિતી પત્રકો રજુ કરવામાં આવતા નથી, ઓડીટ દ્વારા માંગવામાં આવેલ અને એકાઉન્ટ શાખા દ્વારા રજુ કરવામાં ના આવેલ માહિતીઓમાં મિલકત દેવાનું પત્રક (બેલેન્સ સીટ), વર્ષ અંતે બાકી રહેતી ગ્રાન્ટનું પત્રક, આખર સિલક અંગે કેશબુક તથા બેંક પાસબુક મુજબ આખર સિલક મેળવણીનું પત્રક,
અઠવાડીક (આવક ખર્ચના) રીપોર્ટ જે છેલ્લે તા. 28/2/17 સુધી જ આવેલ ત્યારબાદ તા 1/3/17 થી આજ દિવસ સુધી મૌખીક તેમજ લેખીત શાખાને જણાવ્યા છતાં આજ સુધી રજુ કરવામાં આવતા નથી જેથી આ રીપોર્ટ સ્ટેન્ડીંગમાં રજુ કરી શકાતા નથી. આ થઇ વર્ષ 18/19 ના અહેવાલની વાત આવું જ વર્ષ 17/18 ના અહેવાલમાં પણ જોવા મળે છે ત્યારે શા માટે આ અંગેની પૂર્તતાઓ એકાઉન્ટ બ્રાંચ નથી કરતી ચર્ચાનો વિષય બન્યા છે.
-2018-19 ના અહેવાલમાં તત્કાલીન સ્ટે.ચેરમેને કરેલ નોંધ…
ઓડીટ અહેવાલની વિગતે વર્ષ દરમ્યાન કુલ રૂા.2,74,96,435/- ની રકમના ચેક રીર્ટન થયેલ છે. જે અંગે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ પહોંચ કેન્સલ કર્યા અંગે તેમજ કોર્પોરેશનનું માંગણું પુનઃ સ્થાપિત કર્યા અંગે અને બેંકે ચેક રીર્ટન ચાર્જ જે ઉધારેલ છે તે સહીતની ૨કમ વસુલ આવ્યા અંગે વિગતવાર આધાર સહ પુર્તતા ઓડીટ વિભાગમાં કરી તેની જાણકારી કમિટી સમક્ષ રજુ કરવાની રહેશે,
એકાઉન્ટ શાખા દ્વારા ઓડીટ પેરાની વિગતે જે જે રેકર્ડ રજુ કરવામાં આવેલ નથી, જેવુ કે, મિલકત દેવા પત્રક, બાકી રહેતી ગ્રાંટનું પત્રક, આખર સિલક અંગે કેશ બુક તથા બેંક પાસબુક મુજબ સિલક મેળવણીનું પત્રક, બેંક રીકન્સીલેશન અંગે ગંભીર નોંધ લેવામાં આવે છે અને આ બાબતે રેકર્ડ રજુ કરી ઓડીટ કરાવી લેવા સુચના આપવામાં આવે છે. હવે સ્ટે.ચેરમેન દ્વારા કરવામાં આવેલ આ નોંધની કેટલી ગંભીરતા લેવાઈ તે આવનાર હવે પછીના ઓડીટ અહેવાલમાં સામે આવશે.