Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં એક અજીબોગરીબ અને આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધ જે જીવિત હોવા છતાં પણ તેના પરીવારજનોએ અન્યનો મૃતદેહ અંતિમ સંસ્કાર કર્યા બાદ જીવિત વ્યક્તિ ઘરે પહોચતા તેનો પરિવાર આશ્ચર્યમાં પડી ગયો અને આ ઘટના સમગ્ર જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવી છે.વાત કઈક એવી છે કે જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ બે દિવસ પૂર્વે ગુમ થયા બાદ તેના પરીવારજનોએ પોતાના પરિવારના સભ્ય ગુમ થવા બાબતે એ ડીવીઝન પોલીસમથકમાં જાણ કરી હતી, આવી જ રીતે છૂટક મજુરી કામ કરતા અન્ય એક વૃદ્ધ કેશુભાઈ બાબુભાઈ મકવાણા જે શાકમાર્કેટ નજીક વસવાટ કરે તે પણ પરિવારના સભ્યોને ના મળતા પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા..
દરમિયાન થયું એવું કે દયાળજીભાઈ રાઠોડ કે જે ગુમ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી તેનો મૃતદેહ શાકમાર્કેટ નજીકથી મળી આવ્યો હતો, જે મૃતદેહનો પોલીસે કબજો સંભાળી અને હોસ્પિટલ ખાતે લઇ ગઈ હતી, અને કેશુ મકવાણાના પરિવારજનોએ દયાળજી રાઠોડના અંતિમ સંસ્કાર કરી નાખ્યા પરંતુ ઘટનામાં હતું એવું કે ખરેખર જેને પોતાના સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે કેશુ મકવાણા જીવિત હતા અને દયાળજી રાઠોડના અંતિમ સંસ્કાર બાદ પોતાના ઘરે બીજા દિવસે પહોચતા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો, કે આમના તો ગઈકાલે અંતિમ સંસ્કાર કર્યા તો જીવિત કેમ.? તેવો સવાલ પરિવારજનોને થતા પરિવારે આ મામલે પોલીસને જાણ કરી તો સમગ્ર બાબત અલગ દિશામાં લઇ જનારી નીકળી
અને થયું એવું કે ખરેખર કાલાવડનાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ ગુમ થયા હતા અને તેનો મૃતદેહ શાક માર્કેટ નજીકથી મળી આવ્યો હતો, જે મૃતદેહની ખરાઈ કર્યા વિના જ કેશુ મકવાણાના પરિવારે દયાળજી રાઠોડના અંતિમ સંસ્કર કેશુ બાબુ મકવાણા માનીને કરી નાખ્યા ખરેખર જે મૃતદેહ મળી આવ્યો હતો તે કેશુભાઈ મકવાણાનો હતો જ નહિ અને તે મૃતદેહ દયાળજીભાઈનો હતો.
જો કે કેશુભાઈ જીવિત ઘરે પહોચતા આ મામલો ઉજાગર થયો અને બન્ને પરિવારો એક તબક્કે પોલીસ મથકે પહોચ્યા અને બાદમાં સ્મશાન ખાતે પહોચી અને અસ્થીકુંભમાં થી નામો બદલવાની કાર્યવાહી અને પોલીસ પાસેથી જરૂરી દાખલા લેવાની વિધિ શરુ કરી છે.