Mysamachar.in-જામનગર
જામનગર લાલપુર હાઈવે પર ચેલા ગામ નજીક એસઆરપી ભવન આવેલ છે, અહી ફરજ બજાવતા A કંપનીના 31 વર્ષીય કોન્સ્ટેબલ નિલેશ દયાતરની લાશ આજે ગેટ નજીક આવેલ પાણીના ખાડામાંથી મળી આવી છે, મામલાની જાણ થતા પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ સી.એમ.કાંટેલિયા તેમજ સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો, પોલીસ પાસેથી મળી રહેલ પ્રાથમિક વિગતો મુજબ મૃતક કોન્સ્ટેબલ અકસ્માતે પાણીના ખાડામાં પડી ગયાનું પ્રાથમિક તારણ સામે આવે છે છતાં પણ પોલીસ આ મામલે હાલ તપાસ ચલાવી રહી છે.