Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાની વિવિધ કચેરીઓ અને શાખાઓમાં ફરજ બજાવતા 9 જેટલા નાયબ મામલતદારના તાજેતરમાં આવેલ પ્રમોશન બાદ ખાલી જગ્યાઓ સહિતના મુદ્દાઓ અને જાહેરહિતને ધ્યાને લઈને જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી દ્વારા આજે જામનગર જીલ્લાના 25 નાયબ મામલતદારોની આંતરિક બદલીઓના હુકમ કરવામાં આવ્યા છે.જેમાં શહેર અને જીલ્લામાં આમૂલ પરિવર્તન લાવવાનો પ્રયાસ કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.આજે જે બદલીઓનું લીસ્ટ સામે આવ્યું છે તેમાં…
એ.જી.જાડેજાને નાયબ મામલતદાર(ફોજદારી શાખા), બી.ડી.પ્રજાપતિને શિરસ્તેદાર શહેર પ્રાંત કચેરી,, એમ.જે.ચાવડા પુરવઠા નિરીક્ષકને શિરસ્તેદાર, પ્રાંત કચેરી, જામનગર(ગ્રામ્ય), એ.એ.રાઠોડ મહેસુલ મામલતદાર કચેરી કાલાવડ,વી.સી.રાઠોડને સર્કલ ઓફીસર કાલાવડ, એમ.આર.મારડીયાને વહવ જોડિયા મામલતદર કચેરી, પી.એ.છાંટબાર મભય મામલતદાર કચેરી જમજોધપુર, ડી.આર.વારા (મહેસુલ)મામલતદાર કચેરી જામનગર શહેર, બી.આર.ગોહિલને ઝોનલ ઓફીસર પુરવઠા કચેરી, એચ.કે.જાદવને સર્કલ ઓફીસર જામનગર શહેર,એ.એચ.જાનીને (દબાણ) મામલતદાર કચેરી જામનગર શહેર,જે.એ.ડાંગરને પ્રાંત કચેરી લાલપુર, આર.એમ.ઝાલાને સર્કલ ઓફીસર ધ્રોલ મામલતદાર કચેરી, એન.ડી.ચાવડાને મામલતદાર કચેરી ધ્રોલ મભય, એ.વી.ગરેયાને(મહેસુલ) મામલતદાર કચેરી જામજોધપુર, બી.વી.ભારવાડિયાને (મહેસુલ) મામલતદાર કચેરી જામજોધપુર, જે.એલ.ચાવડાને સર્કલ ઓફીસર શેઠવડાળા
એ.આર.જાડેજાને સર્કલ ઓફીસર જામજોધપુર, આર.જે.પઢારિયાને સર્કલ ઓફીસર પડાણા, એન.ડી.બરારિયાને પ્રાંત કચેરી ધ્રોલ,વી.બી.જાડેજાને સર્કલ ઓફીસર લાલપુર, ડી.બી.સોલંકીને મહેકમ, મામલતદાર કચેરી જામજોધપુર, મનોજ ઠાકરને રેકર્ડ શાખા કલેકટર કચેરી, એમ.ડી.ખેરને પુરવઠા નિરીક્ષક, આર.એ.વિરમગામાને યુએલસી આમ જીલ્લામાં મોટાપાયે કલેકટરે બદલીઓનો ગંજીફો ચાંપ્યો છે.