Mysamachar.in-જામનગર:
હથિયારનો પરવાના ધરાવતા પરવાનાધારકોએ મુદત વીત્યા પૂર્વે હથીયારનો પરવાનો રીન્યુ કરાવવાનો હોય છે, પણ જામનગર જીલ્લામાં કેટલાક આવા લોકોએ હથિયાર પરવાનો પૂર્ણ થવા છતાં પણ પોતાની પાસે હથિયાર રાખેલ હોય તેવા ઈસમો સામે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ જામનગર જીલ્લામાં હથીયાર પરવાનો પુર્ણ થઈ ગયેલ હોય તેમ છતા હથિયાર પોતાના કબ્જામા રાખેલ હોય તેવા હથીયારો લગત પોલીસ મથકમાં જમા કરવા બાબતે કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અંગે જામનગર એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ જામનગર જીલ્લામા આવેલ તમામ હથીયાર પરવાનેદારોને ચેક કરવાની કાર્યવાહી કરેલ જેમા કુલ-96 હથીયાર પરવાનેદારો એવા મળી આવેલ કે જેઓએ પોતાના હથીયાર પરવાનાની રીન્યુ તારીખ પુર્ણ થઇ ગયેલ હોવા છતા રીન્યુ કરાવેલ ન હોય તેવા હથીયાર પરવાનેદારોના હથીયારો તાત્કાલીક લગત પોલીસ સ્ટેશનમા જમા કરાવડાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.