Mysamachar.in-જામનગર
જામનગરના કાલાવડ રોડ પર વિજરખી ગામ નજીક આજે એક મોટી અને ચકચારી ઘટના સામે આવી છે, જામનગર જુનાગઢ રૂટની બસમાં એક યુવકને અન્ય કોઈ શખ્સએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને હત્યા નીપજાવાયાનો મામલો સામે આવતા પંચકોશી એ ડીવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે, અને તપાસમાં લાગી છે પરંતુ એસટી બસમાં બેસેલા મુસાફરો અને સ્થાનિકોએ હુમલો કરનાર શખ્સને ઝડપી લઇ અને તેને પોલીસના આવે ત્યાં સુધી બાંધી દીધો હતો, પ્રાથમિક તપાસ મુજબ મૃતક વ્યક્તિ કાલાવડનો રહીશ હોવાનું સામે આવ્યું છે. બનાવ પાછળનું ચોક્કસ કારણ શું તે હજુ સામે આવ્યું નથી પરંતુ હાલ પોલીસ સ્થળ પર પહોચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.હત્યા કરનાર શખ્સ અમદાવાદનો હોવાનું સામે આવે છે.