My samachar.in : જામનગર
હાલાર એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા સંસદીય મતક્ષેત્રના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ સતત લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોને વાચા આપનાર સક્રિય નેતા છે, એવું નથી કે ચૂંટાયા એટલે વાત થઇ પૂરી…પોતાના કાર્યાલયો ઉપરાંત સંસદીય મતક્ષેત્રમાં સતત પ્રવાસો કરી અને કોરોના ગાઈડલાઈન્સ અનુસરીને લોકોના પ્રશ્નો માટે સતત સક્રિય રહેતા પૂનમબેન માડમનો આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમના સમર્થકોમાં ચિંતા વ્યાપી છે અને પૂનમબેન જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના શુભેચ્છકો કરી રહ્યા છે.
કોરોના અંગેના સામાન્ય લક્ષણો જણાઈ આવતા સાંસદ પૂનમબેન માડમે કરાવેલ RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, જો કે પૂનમબેનની તબિયત સારી છે અને તેવો પોતાના બંગલો પર હોમઆઈસોલેટ થઇ અને આરામ કરી રહ્યા છે.વધુમાં તેવોએ my samachar સાથે વાતચીત કરતા કહ્યું કે લોકો પણ કોરોનાને હળવાશથી ના લે જો સામાન્ય લક્ષણો પણ જણાઈ આવે તો તુરત ટેસ્ટ કરાવે અને કોરોના ના ફેલાય તે માટે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, વારંવાર હાથ ધોવા સહિતના નિયમોનું પાલન કરે અને વેક્સીન ડોઝ લઇ સુરક્ષિત રહે તેવી અપીલ પણ તેવોએ આજે કરી છે.