Mysamachar.in-જામનગર:
જામનગર એલસીબી ટીમે થોડા દિવસો પૂર્વે જામનગર શહેરમાંથી એક શખ્સને એક પિસ્ટલ સાથે ઝડપી પાડ્યા બાદ તેની સઘન પૂછપરછ અને હથિયારોના રેકેટને ભેદવા પોલીસે તપાસ કરતા એક મોટા નેટવર્કનો કહી શકાય તેવો પર્દાફાશ એલસીબી ટીમે કર્યો છે, અને એક હથિયાર નહિ પરંતુ જામનગર શહેરથી દુર જમીનમાં દાટેલા વધુ હથિયારો અને જીવંત કાર્ટીસ પણ પોલીસે કબજે કરી આ હથિયાર છુપાવનાર બે શખ્સોનો જેલમાંથી કબજો લઇ સઘન પૂછપરછમાં હજુ વધુ મોટા નેટવર્કનો પર્દાફાશ થઇ શકે તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે,
જામનગર પોલીસવડા દીપન ભદ્રન અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સુચનાથી એલ.સી.બી. પી.આઈ. કે.જી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પી.એસ.આઈ બી.એમ. દેવમુરારી પી.એસ.આઈ આર.બી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા દિલીપભાઇ તલાવડીયાને બાતમીરાહે હકિકત મળેલ જેમા જામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન,ઓવરબ્રીજ પાસેથી આરોપી રાયમલ હાજી સંધી રહે જામનગરવાળાના કજામાથી પિસ્ટલ-1 તથા કાર્ટીસ 02 સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ, જે બાદ તેની પૂછપરછમાં આ હથિયાર એકાદ વર્ષ પહેલા હિતુભા ભગતસિંહ ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકો ગીગાભાઇ વાળાએ સપ્લાય કરેલ હોવાનું ખુલવા પામતા આ બન્ને આરોપીઓ હાલે ખુનની કોશીષ ફાયરીંગના ગુન્હામાં જામનગર જીલ્લા જેલમાં હોય જે બન્ને આરોપીઓનો ગુન્હાના કામે કબજો મેળવી તેઓની ધરપકડ બાદ બન્નેની આકરી ઢબે પુછપરછ કરતા તેમના કબજામાં અન્ય હથિયારો હોવાની કબુલાત કરેલ હતી,
આરોપી હિતુભા ભગતસિંહ ઝાલાએ આ હથિયાર ઉપરાંત સીકકા પાટીયા નજીક આવેલ ડીવૈન મોટર ગેરેઝ પાસેબંધ કોમપ્લેક્ષની બાજુમાં બાવળની કાંટમાં જમીનમાં સંતાડેલ, હથિયારોમાં પીસ્ટલ-10 તથા કાર્ટીસ-17 કાઢી આપતા જે તમામ હથિયારો કબજે કરી હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકાને હથીયાર સપ્લાય કરનાર ઇસમ કરનાર કોણ તેની તપાસ ચાલી રહી છે,
હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકોના કબજા હસ્તક પીસ્ટલ-11 કિ.રૂ.2,25,000/- તથા કાટીસ-19 કિ.રૂ, 1900 /નો મળી કિ.રૂ.2,26,900/- નો મુદામાલ કબજે આ અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, જે બે શખ્સોનો જેલમાંથી કબજો લેવામાં આવેલ છે તે હિતુભા ઝાલા પ્રવિણ ઉર્ફે ટકો જે અગાઉ ખુનની કોશીષ, લુટ, અપહરણ, હથિયાર સપ્લાય, મારામારી, ઇંગલીશ દારૂ, જેવા ગંભીર ગુન્હામાં પકડાયેલ છે.આટલા હથિયારો બાદ પોલીસને હજુ આશા છે કે આ નેટવર્ક મોટું હોય શકે છે અને તે દિશામાં પણ આગળની તપાસ ચાલી રહી છે,
આ કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઇ વસરા, અશ્વિનભાઇ ગંધા,હરપાલસિંહ સોઢા, ફીરોજભાઈ દલ, હીરેનભાઇ વરણવા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર,યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, ધાનાભાઇ મોરી, રધુભા પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.